[૩૮૭] મુકતદીના સના પઢવાનો હુકમ

Chapter : નમાઝ

(Page : 416)

સવાલ :–(૩)  ‘સના બાકી રહી જાય તો શું કરવું ?

જવાબ :–(૩)  ઈમામ સાથે જ્યારે નમાઝમાં શરીક થાય અને ઈમામ જોરથી કિરાઅત ન કરતા હોય અથવા કઅ્‌દહમાં ન બેઠા હોય, બલ્કે કયામમાં આહિસ્તા કિરાઅત પઢતા હોય અથવા રૂકૂઅ–સજદહમાં હોય અને એ વાતનો સંતોષ હોય કે સના પઢયા પછી પણ રૂકૂઅ–સજદહમાં ઈમામ સાથે શરીક થઈ શકાશે તો નમાઝમાં શરીક થનાર મુકતદીએ સના તે જ વખતે પઢી લેવી જોઈએ અને તે મુકતદી મસ્બૂક હોય તો પોતાની છુટેલી નમાઝ પુરી કરવા ઉભો થાય ત્યારે બીજી વાર પણ શરૂમાં સના પઢવી જોઈએ અને જો ઈમામ સાથે નમાઝમાં શરીક થાય ત્યારે ઈમામ જોરથી કિરાઅત પઢતા હોય તો માત્ર તકબીરે તહરીમા કહી નમાઝ શરૂ કરી દે, સના ન પઢે, અલબત્ત જો મસ્બૂક હોય તો પોતાની છૂટેલી નમાઝ પઢવા ઉભો થાય ત્યારે શરૂમાં સના પઢવી જોઈએ. (શામી, ભાગ–૧/૩ર૮–૪૦૧)

Log in or Register to save this content for later.