Chapter : નમાઝ
(Page : 415)
સવાલ :– વડોદરાની ચાંપાનેર મસ્જિદમાં મિમ્બર સાથેની સફથી કુલ સાત સફો થાય છે, મુકતદીઓના કહેવાથી એ અંદાજથી કે બીજા નમાઝીઓ આવશે, આગળ સફ બનાવી લીધી. સંજોગોવસાત કુલ પ–૬ સફો થઈ, તો હવે નમાઝ મકરૂહે તહરીમી થશે કે કેમ ? એ નમાઝ દોહરાવવી પડશે ?
જવાબ :– જ્યારે નમાઝ શરૂ થતી વખતે મુકતદીઓની એટલી ભીડ ન હતી જે આગળ ઈમામ સા. સાથે સફ બનાવવી પડે તો એવી હાલતમાં ઈમામ સાથે પહેલી સફ બનાવવી મકરૂહે તહરીમી છે, પરંતુ એથી નમાઝ દોહરાવવી જરૂરી નથી. તવબહ, ઈસ્તિગફાર કરે. (શામી–૧/૩૦૭)
Log in or Register to save this content for later.