Chapter : નમાઝ
(Page : 413)
સવાલ :– એક ઈમામ સા.ને નમાઝમાં સજદએ સહ્વ કરવાનો હતો અને તે સજદએ સહ્વ કરવાનું ભૂલી ગયા અને નમાઝ પૂરી કરી દીધી, ફરી વાર જ્યારે નમાઝ પઢવાની થઈ તો તે બીજી જમાઅત સાથે તે લોકો શામિલ થઈ શકે, જેમની બિલ્કુલ નમાઝ બાકી છે ? અગર શામિલ ન થઈ શકે તો શા માટે ?
જવાબ :– સજ્દએ સહ્વ ભૂલી જવાથી જે ફર્ઝ નમાઝ ફરી પઢવામાં આવે તેમાં પહેલીવાર તે ફર્ઝ નમાઝ પઢનાર નવો માણસ શરીક ન થઈ શકે, જેટલા માણસો પહેલી જમાઅતમાં હતા તેઓ જ શરીક થઈ શકે છે, કારણ કે બીજી વાર પઢવામાં આવતી નમાઝ વાજિબ અને પહેલી નમાઝના નુકસાનની તલાફી માટે છે. પહેલી ફર્ઝ નમાઝ ગણાશે અને નવા માણસે તો ફર્ઝ નમાઝ પઢવાની છે. (શામી, ભાગ–૧)
Log in or Register to save this content for later.