Chapter : નમાઝ
(Page : 415)
સવાલ :– (૧) મગરિબની નમાઝમાં આપણી પહેલી રકઅત છૂટી ગઈ અને બીજી રકઅતમાં શામેલ થયા ત્યારે ઈમામ સાહેબ કઅ્દહમાં બેસે છે તો બીજી રકઅતમાં શામીલ થનારે અત્તહિય્યાત પઢવી કે નહિ ? અને જ્યારે ઈમામ સાહેબ ત્રીજી રકાતમાં હોય ત્યારે પાછળથી શામિલ થનારની બીજી રકાત થશે તો તે રકાતમાં શામિલ થનારને દુરૂદે ઈબ્રાહીમ તથા દુઆ પઢવું પડે ?
જવાબ :–(૧) બીજી રકાતમાં શામિલ થનાર મુકતદીએ (મસ્બૂકે) પહેલા કઅ્દહમાં ઈમામ સાથે ‘‘અત્તહિય્યાત પઢવી જોઈએ અને છેલ્લા કઅ્દહમાં ધીમે ધીમે ‘‘અત્તહિય્યાત પઢી માત્ર ‘‘અત્તહિય્યાત જ પૂરી કરવી જોઈએ. દુરૂદ–દુઆ ન પઢવી જોઈએ. (શામી, ભાગ–૧/૩૩૩–૩૪૩)
Log in or Register to save this content for later.