Chapter : નિકાહ
(Page : 177-178)
સવાલ :– જિન્નાત કોઈ ઈન્સાની ઓરત સાથે પ્રેમમાં પડી શકે કે નહિ? અને તેની સાથે નિકાહ કરી શકે કે નહિ? જો કોઈ ઓરતને આ પ્રમાણે જિન્નાત હેરાન કરતો હોય તો તેને હટાવવાનો ઈલાજ કેવી રીતે કરવો?
જવાબ :– જિન કોઈ ઈન્સાની ઓરતના પ્રેમમાં પડે અને તેને હેરાન કરે એ શકય છે. સહાબએ કિરામ (રદિ.)થી એવી ઘટનાઓ મનકૂલ છે, પરંતુ ઈન્સાની ઓરતના નિકાહ જિન સાથે જાઈઝ નથી.(અશ્બાહ–૩ર૭, લુકતુલ મર્જાન–૩૦)
જો કોઈ ઈન્સાની ઓરત પાસે જિન આવી તેને પરેશાન કરતો હોય તો આ વઝીફો પઢવામાં આવે, તેના પઢવાથી જિન આવતો બંધ થઈ જશે.
લા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ, માશા અલ્લાહુ કાન વમા લમ્ યશઅ્ લમ્ યકુન્.
હઝરત જરીર બિન અબ્દુલ્લાહ (રદિ.)એ એક પારસીથી તેની આપવીતી સાંભળી, કે તે એક વખત વિદેશના સફરે ગયો તો એક જિન તેની જ શકલ ઘારણ કરીને તેની ઓરત પાસે આવવા લાગ્યો, અહિંઆ સુધી કે તે પારસી વિદેશના સફરથી પાછો ફર્યો તો પણ ઓરતને એ વાતની ખબર ન પડી કે મારા પતિ વિદેશની સફરે જઈને પાછા ફર્યા છે. તે તો પતિના રૂપમાં જિનના આવતા રહેવાથી એમ જ સમજી કે પતિ કંઈ ગયા જ નથી. પતિની વાતચીત પછી ખબર પડી કે જિન તેની સૂરતમાં આવતો હતો અને તે પછી પણ તે જિન એક રાતના અંતરે ઓરત પાસે આવતો રહયો. સંજોગોનુસાર એક રાત્રે પારસીએ આસમાન તરફથી મજકૂર વઝીફો સાંભળ્યો અને તેણે જોયું કે તે વઝીફો સાંભળતા જ જિન્નાત નાસભાગ કરવા લાગ્યો. પારસીએ કહયું કે મેં તે વઝીફો યાદ કરી લીધો અને જયારે જિન મારા ઘરમાં આવતો તો હું તે વઝીફો પઢતો, જિન તે વઝીફો સાંભળીને બેચેન થઈ ઘરના અજવાળિયામાંથી બહાર નીકળી નાસી જતો અને હું આ વઝીફો પઢતો રહયો, અહિંઆ સુધી કે જિન મારા ઘરમાં આવતો સદંતર બંધ થઈ ગયો. (આકામુલ મર્જાન–૭પ)
Log in or Register to save this content for later.