Chapter : નિકાહ
(Page : 145-146)
સવાલઃ– અમારા સમાજની અમુક છોકરીઓના નિકાહ એ રીતે થયા છે કે તેણીઓ પ્રેમમાં હોવાથી ભાગીને કોર્ટ તેમજ મોલ્વી સાહેબ સામે કરેલ છે, તેમાં છોકરીના માતા–પિતા તો સામાજિક કલંકના લીધે રાજી હોતા જ નથી, તેમાં અમુક તો અમારી જ જ્ઞાતિમાં એટલે કે મુસ્લિમ ઘાંચીમાં થયેલા છે અને અમુક બીજી જ્ઞાતિમાં થયેલ છે.
તો આવા, મા–બાપની મરજી વિરૂધ્ધ કરેલ નિકાહનો શું હુકમ ગણાશે?
જવાબઃ– જો આકિલ બાલિગ છોકરીએ પોતાના નિકાહ શરીઅતના તરીકા મુજબ મુસ્લિમ ગવાહોની મવજૂદગીમાં કુફૂ સાથે કર્યા છે, તો તે જાઈઝ છે અને ખાનદાની વાલીઓને વાંધો ઉઠાવવાનો કોઈ હક નથી અને જો વાલીની ઈજાઝતથી ગેર કુફૂ સાથે કર્યા છે તો પણ જાઈઝ છે અને આ બન્ને સૂરતોમાં નિકાહમાં મહેરે મિષ્લથી ઓછી મહર ન હોવી જોઈએ અને જો વાલીની ઈજાઝત વગર ગેર કુફૂમાં નિકાહ કર્યા હોય તો મહકમએ શરઈય્યહમાં અરજી કરી ફસ્ખ કરવવા જોઈએ. (શામી–ર)
Log in or Register to save this content for later.