[૧ર૮] બે બહેનોને એક સાથે નિકાહમાં ન રાખી શકવાનું કારણ

Chapter : નિકાહ

(Page : 171)

સવાલઃ– પહેલી શરીઅતમાં બે બહેનો એક સાથે નિકાહમાં આવતી હતી, હવે ચાર ઓરતો એક સાથે રખાય છે, પણ બે બહેનો એક સાથે કેમ નહિ ?

જવાબઃ– બે બહેનોને એક સાથે નિકાહમાં ન રાખી શકવાનું અસલ કારણ તો અલ્લાહ તઆલાનો અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો હુકમ છે કે કુર્આન અને હદીસ શરીફમાં સ્પષ્ટ શબ્દોમાં આવા નિકાહને હરામ ઠરાવવામાં આવ્યો છે અને આ હુકમનું રહસ્ય અને હિકમત આ પ્રમાણે વર્ણવામાં આવે છે કે બે બહેનો વચ્ચે એવી નિકટની સગાઈ છે કે પરસ્પર બન્‍નેવ વચ્ચે મુહબ્બત – સારો સંબંધ અને સદવર્તન હોવા જોઈએ અને સામાન્ય રીતે એક પતિની બે સ્ત્રીઓ વચ્ચે વાદ વિવાદ અને કડવાશ રહે છે, માટે જો બે બહેનો એક પુરુષના નિકાહમાં આવશે તો એક બીજાની શોયક બનવાથી પરસ્પર પ્યાર મુહબ્બત અને સદવર્તનના બદલે બન્‍નેમાં વાદવિવાદ અને કડવાશ ઉપસ્થિત થશે.        (હિદાયહ અવ્વલૈન)

Log in or Register to save this content for later.