Chapter : નિકાહ
(Page : 165-166)
સવાલઃ– મારી બહેન સુવાવડમાં બીમાર હોવાથી ૧પ થી ૩૦ દિવસ સુધી મારા ભાણ્યાએ મારી ઓરતનું (ધાવણનું) દૂધ પીધું છે, તો એ ભાણ્યા સાથે મારી છોકરીના નિકાહ થઈ શકે કે નહિ ? બધાનું કહેવું છે કે એ રઝાઈ ભાઈ–બહેન થયા એટલે નિકાહ થાય નહીં. બહેનને મજબૂરી હોવાથી દૂધ પાધુ છે.
જવાબઃ– પૂછેલી સૂરતમાં તમારા ભાણાના નિકાહ તમારી છોકરી સાથે ન થઈ શકે, કારણ કે તે બન્ને પરસ્પર દૂધના રિશ્તાથી ભાઈ બહેન ગણાશે.
ولا یتزوج المرضعۃ احدا من ولد التی ارضعت لانہ اخوھا (ھدایہ اولین ص۔ ۳۳۱ رشیدیہ)
Log in or Register to save this content for later.