[ર૦૯] મકામાતે મુકદ્દસહની ઝિયારત

Chapter : હજ

(Page : 266-267)

સવાલઃ– હજ માટે જનાર ત્યાંના કેટલાક સ્થળો જેવા કે ગારે હિરા, ગારે સૌર, મસ્જિદે કુબા, મસ્જિદે કિબ્લતૈન વગેરેની ઝિયારત માટે જાય છે તો શું આ મુલાકાત બિદઅત છે? જવું ગુનોહ છે?  શું સવાબની ઉમ્મીદ ન રાખી શકાય ?

જવાબ :– હઝરત મવલાના મુફતી સઈદ અહમદ સહારનપૂરી (રહ.) પોતાની કિતાબ ”મુઅલ્લિમુલ હુજજાજ” માં લખે છે કે અહલે બકીઅ ઓર દિગર મશાહિદ વ મકામાતે મુકદદસા ઓર હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કી મસાજિદેં ઓર કુવોંકી ઝિયારત મુસ્તહબ હે.

                ”ગુન્યતુન્નાસિક” નામી કિતાબમાં રવઝએ અકદસ, બકીઅ કબ્રસ્તાન, શુહદાએ ઉહુદ અને મસ્જિદે કુબાની ઝિયારતનું હદીસ શરીફથી મુસ્તહબ હોવું સાબિત ફરમાવ્યું છે.            (ગુન્યતુન્નાસિક)

                માટે હઝરત રસુલૂલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઈત્તિબાઅની નિય્યતની અને બરકતની નિય્યતથી કોઈ માણસ આ પવિત્ર સ્થળોએ જાય તો તેને બિદઅત કહેવામાં નહિ આવે.

Log in or Register to save this content for later.