Chapter : હજ
(Page : 263-264-265)
સવાલ :– હનફી મઝહબ પ્રમાણે શું કફનનું કપડું બરકતની નિય્યતથી ઝમઝમના પાણીમાં ભીંજવવું બિદઅત છે? અને કફનનું કપડું ઝમઝમમાં ભીંજવીને સૂકવી લેવું જાઈઝ છે કે નહિ?
જવાબ :– કફનનું કપડું ઝમઝમના પાણીમાં ભીજવવાનો અને તેને સૂકવીને પોતાની સાથે લાવવાનો હદીષ શરીફથી અને સલફે સાલિહીન (રહ.)ના અમલથી કોઈ સબૂત નથી. (ઉ.ફિકહ –૪/૬૭૦)
અલબત્ત, કફનનું કપડું બરકતની નિય્યતથી ઝમઝમના પાણીમાં ભીંજવવું અને સૂકવીને તેને પોતાની પાસે મહફૂઝ રાખવું એ જાઈઝ છે. જેવી રીતે ઝમઝમના પાણીથી બરકત માટે ગુસલ કરવું જાઈઝ છે એવી જ રીતે ઝમઝમમાં પલાળ્યા પછી સૂકાયેલા કપડામાં કફન આપવું પણ જાઈઝ છે, માટે મજકૂર કામને બિદઅત અને નાજાઈઝ નહિ કહેવામાં આવે. (ઈ.ફતાવા – ૧/૭૧પ)
કફનના કપડાંને કોઈક તરીકાથી બરકતી બનાવવું અને બરકતના હેતુથી કફન માટે બરકતી કપડું પ્રાપ્ત કરવું અને તેને પોતાની પાસે મહફૂઝ રાખવું એ હદીષ શરીફથી સાબિત છે.
હઝરત અ.રહમાન બિન ઔફ (રદિ.) અથવા હઝ. સઅદ બિન અબી વકકાસ (રદિ.)એ પોતાના કફન માટે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના પહેરેલા કપડાંથી બરકત પ્રાપ્ત થવાની આશા અને નિય્યતથી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી પહેરેલું કપડું બદન મુબારકથી ઉતારીને પોતાને આપવાની દરખાસ્ત કરી હતી અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાની ઉત્તમ અને વિશાળ સખાવતની આદતે શરીફા મુજબ તેઓની દરખ્વાસ્ત કબૂલ ફરમાવી તે કપડું અતા ફરમાવ્યું હતું. હાલાં કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને તે વખતે મઝકૂર કપડાંની ખાસ ઝરૂરત હતી અને મઝકૂર સહાબી (રદિ.) એ તે મુબારક કપડું લઈને બરકત પ્રાપ્ત થવાની આશાએ પોતાના કફન માટે મહફૂઝ રાખ્યું હતું અને તે કપડાંમાં તેઓને કફન દેવામાં આવ્યું હતું. (બુખારી શરીફ – ૧/૧૭૦)
Log in or Register to save this content for later.