[૭૯] નિકાહનો ખુત્બહ ઉભા થઈને પઢવાનો હુકમ

Chapter : નિકાહ

(Page : 116)

સવાલ :– (૧) નિકાહનો ખુત્બહ ઉભા રહીને પઢવું કેવું છે?

જવાબ :– (૧) નિકાહનો ખુત્બહ ઉભા રહીને પઢવું ઝરૂરી કે સુન્‍નત નથી, અલબત્ત ઉભા રહીને પઢવું પણ જાઈઝ છે.                                                                                               (ફ.રહીમિય્યહ–ર/૩૭પ)

સવાલ :– (ર) નિકાહનો ખુત્બહ ઉભા રહીને પઢવું અફઝલ છે કે બેસીને પઢવું અફઝલ છે?

જવાબ :– (ર) લોકોમાં નિકાહ જાહેર થાય એ હેતુથી ખુત્બહ ઉભા રહીને પઢવો અફઝલ છે.        (ફ.મહમૂદિય્યહ–૧૧/૧પર)

સવાલ :– (૩) શું હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નિકાહનો ખુત્બહ ઉભા રહીને પઢતા હતા?

જવાબ :– (૩) એ બાબત કોઈ હદીષથી સાબિત નથી.

Log in or Register to save this content for later.