Chapter : નિકાહ
(Page : 111-112)
સવાલ :– શવ્વાલના મહીનામાં શાદી કરવી શું ખરેખર ઈસ્લામમાં બરકતવાળી શાદી છે? અને સાથે જુમ્અહની રાતે મગરિબ બાદ નિકાહ હોય અથવા જુમ્અહના દિવસે નિકાહ હોય તો આ બરકતવાળી ચીઝો ગણાય?
જવાબ :– જુમ્અહના દિવસે નિકાહ કરવો મુસ્તહબ છે, જુમ્અહની રાત વિષે કોઈ ફઝીલત જાણમાં નથી અને નિકાહમાં એલાન મુસ્તહબ છે અને દિવસે મસ્જિદમાં નિકાહ કરવામાં વધુ એલાન છે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝરત આઈશહ (રદિ.)થી શવ્વાલ મહીનામાં નિકાહ અને રુખ્સતી ફરમાવી હતી. માટે હઝરત આઈશહ શવ્વાલમાં રુખ્સતીને પસંદ ફરમાવતા હતા. (શામી : ર/ર૬ર, તિરમિઝી શરીફઃ ૧/ર૦૭)
Log in or Register to save this content for later.