[૭૪] કર્ઝ આપેલી રકમની ઝકાત કયારે આપે?

Chapter : ઝકાત

(Page : 108-109)

સવાલ : – કર્ઝે હસનહ તરીકે આપેલી રકમની ઝકાત મારે દર વર્ષે આપવી પડશે કે રકમ પરત મળી ગયા પછી તેમાંથી  અદા કરી શકાય છે ?

જવાબ :– કર્ઝે હસનહ આપનાર માણસ માલદાર હોય તો કર્ઝ આપેલી રકમની ઝકાત તો દર વર્ષે ફર્ઝ થશે, પરંતુ તે રકમની ઝકાત કર્ઝ વસૂલ થતા પહેલાં આપવી ઝરૂરી નથી, એક સાથે બધી રકમ વસૂલ થાય તો બધી રકમની પાછલા બધા વર્ષોની ઝકાત આપવી પડશે અને જો કર્ઝની બધી રકમ એક સાથે વસૂલ ન થાય, બલ્કે થોડી થોડી વસૂલ થાય તો જયારે જયારે તેમાંથી નિસાબનો પાંચમો ભાગ (ર૦ ટકા) એટલે કે સાડા દસ તોલા ચાંદીની કિંમતના બરાબર રકમ વસૂલ થાય ત્યારે તે રકમની પાછલા બધા વર્ષોની ઝકાત આપવી ઝરૂરી છે.            (શામી : ૩૭ , ભાગ : ર)

Log in or Register to save this content for later.