Chapter : ઝકાત
(Page : 105-106)
સવાલ :– અમોએ એક લિલ્લાહી રકમ કાઢવાની યોજના બનાવી છે. જેમ જેમ રકમ આવતી ગઈ તેમ અમો અલ્લાહના રસ્તામાં ખર્ચ કરતા રહૃાા, પરંતુ સંજોગોનુસાર એક મુદ્દત સુધી મઝકૂર યોજના હેઠળ જમા થયેલી થોડી રકમ અમો ખર્ચ ન કરી શકયા અને તે થોડી રકમ જમા પડી રહી અને તેના ઉપર એક ઈસ્લામી વર્ષ પણ વીતી ગયું તો આવી સૂરતમાં એ લિલ્લાહી ફંડની રકમ ઉપર ઝકાત ફર્ઝ ગણાશે કે નહિ ?
જવાબ :– જે રકમ લિલ્લાહ આપવાની નિય્યતથી માલિક પાસે જ જમા પડી રહી હોય તે રકમનો માલિક શરઈ દ્રષ્ટિએ માલદાર અને સાહિબે નિસાબ હોય તો તે રકમની ઝકાત આપવી પડશે. કારણ કે તે રકમ હાલ તેની જ માલિકીમાં બાકી ગણાશે. અલબત્ત, જો તે રકમ લિલ્લાહી ફંડના વ્યવસ્થાપકને સુપરદ કરી દેવામાં આવી હોય, તો તે રકમ માલિકની માલિકીમાંથી નીકળી ગયેલી ગણાશે. એટલે તે રકમની ઝકાત નહિ આપવી પડે. ચાહે તે ફંડના વ્યવસ્થાપક પાસે એક વર્ષ સુધી જમા પડી રહી હોય. (આલમ. : ૪૬૦, ભાગઃર શામી ૧ર ભાગ –ર/૩૭૪, ભાગઃ૩)
Log in or Register to save this content for later.