Chapter : ઝકાત
(Page : 105)
સવાલ :– મેં ભાડેથી મકાન લીધું છે. જેની રૂા ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) પાઘડી આપી છે તો મઝકૂર પાઘડીની રકમ પર ઝકાત આપવી પડશે કે નહિ?
જવાબ :– જો પાઘડીની રકમ મકાનના ભાડા તરીકે આપી છે હવે તે પરત મળવાની નથી તો તે રકમની ઝકાત આપવી વાજિબ નથી અને જો તે રકમ ભાડા તરીકે નથી આપવામાં આવી, બલ્કે ડીપોઝીટ તરીકે આપવામાં આવી છે અને મકાન ખાલી કરતી વખતે તે રકમ માલિક પાસેથી ભાડૂતને પાછી મળવાની છે, તો તે રકમની ઝકાત વાજિબ છે. પરંતુ હાલ અદા કરવી વાજિબ નથી, બલ્કે જયારે તે રકમ વસૂલ થઈ જાય ત્યારે બધા પાછલા વર્ષોની ઝકાત અદા કરવી વાજિબ છે (શામી ૧૬ ભાગઃ પ, કિ. મુફતી ૩૩૯ ભાગઃ ૭)
Log in or Register to save this content for later.