[૭ર] ઘર બાંધવા માટે જમા કરેલી રકમ ઉપર પણ ઝકાત છે

Chapter : ઝકાત

(Page : 106-107)

સવાલ :–  મારી પાસે એટલી રકમ જમા છે કે જેનાથી સાડા સાત તોલા સોનું આવી શકે છે,  પરંતુ  મારી પાસે રહેવાનું ઘર ન હોવાથી તે રકમ મેં ઘર માટે જમા રહેવા દીધી છે, તો શું એ જમા રકમ ઉપર ઝકાત, કુરબાની અને સદકએ ફિત્ર આપવો પડશે ?

               એક મવલાના સાહેબે કહયું કે ઘર હાજતે અસલિય્યહમાં દાખલ છે અને ઝકાત હાજતે અસલિય્યહથી વધારાની રકમ ઉપર લાગુ પડે છે. મઝકૂર રકમ સિવાય મારી પાસે સાડા સાત તોલા સોનું પણ છે. આ કુલ મૂડી પણ મકાન માટે અપૂરતી છે. તો શું મારી ઉપર ઉપર ઝકાત, કુરબાની અને સદકએ ફિત્ર વાજિબ છે ?

જવાબ : – પૂછેલી સૂરતમાં અમલ માન્ય અને વિશ્વાસપાત્ર મસ્અલા અને મંતવ્ય મુજબ તમો ઝકાત, સદકએ ફિત્ર અને કુરબાની વાજિબ થવા પાત્ર નિસાબના માલિક છો, માટે જયાં સુધી રોકડ રકમ અને સોનું પોતાની ઝરૂરતોમાં વપરાય ન જાય અને નિસાબ બાકી રહે ત્યાં સુધી તમારે તે રકમ અને સોનાની ઝકાત આપવી પડશે અને કુરબાની કરવી તથા સદકએ ફિત્ર આપવું પણ વાજિબ રહેશે.

               મવલાના સાહેબે તમોને જે મસ્અલો બતાવ્યો તે અમુક ફુકહાએ કિરામના મંતવ્ય મુજબ દુરૂસ્ત છે પરંતુ તે મંતવ્ય મોટા ભાગના ફુકહાએ કિરામના અમલમાન્ય અને એહતિયાત પાત્ર મંતવ્યથી વિરૂદ્ય છે. તેઓ લખે છે કે :

અઝ્‌ઝકાતુ તજિબુ ફિન્નકદી કય્‌ફમા અમસકહુ લિન્નુમાઈ અવ્‌ લિન્નફ્‌કહ્‌.

ભાવાર્થ એ છે કે રોકડ મૂડી ચાહે નફો અને વધારો પ્રાપ્ત કરવાના હેતુથી જમા રાખવામાં આવી હોય કે પોતાની ઝરૂરતોમાં ખર્ચ માટે જમા રાખવમાં આવી હોય દરેક સૂરતમાં તે મૂડી ઉપર ઝકાત વાજિબ થાય છે.       (શામી, પેજ :૬, ભાગ : ર)

Log in or Register to save this content for later.