[૭પ] નિકાહ જેઠ મહિનામાં

Chapter : નિકાહ

(Page : 112-113)

સવાલ :– ઘણા મુસ્લિમ ભાઈઓમાં એવો રિવાજ છે કે પોતાની અવલાદમાંથી સૌથી મોટા પુત્ર કે પુત્રીની શાદી જેઠ મહિનામાં કરતા નથી અને કહે છે કે અમારે તો જેઠી દીકરા કે દીકરીની શાદી કરવાની છે એટલે જેઠ મહિનામાં ન થઈ શકે. આવી માન્યતા રાખી ગુંચવણ ઉભી કરે છે અને છોકરીવાળા પક્ષને ઉતાવળ કરવા મજબૂર કરે છે. તો શું આ વાત ઈસ્લામ ધર્મની દ્રષ્ટિએ સાચી છે, અગર સાચી હોય તો ઈસ્લામ ધર્મની રૂએ તેમાં શું નુકશાન થાય છે?

જવાબ :– શાદી કરવા માટે કોઈ દિવસ કે મહિનો મનહૂસ (અપશુકન અને બેબરકત) અને હાનિકર્તા નથી, ગમે તે મહિનામાં ગમે તે દિવસે શાદી કરવી જાઈઝ છે. માટે સૌથી મોટા છોકરા કે છોકરીની શાદી જેઠ મહિનામાં ન કરી શકવાની માન્યતા, અકકલ અને શરીઅતના વિરૂધ્ધ છે અને મોટા ભાગે આવી ખોટી માન્યતાઓ ગેર મુસ્લિમ સમાજમાં પ્રચલિત હોય છે. મુસલમાન માટે આવી માન્યતા રાખવી જાઈઝ નથી.     (ઇસ્લાહુર્‌ રુસૂમ–૮ર)

                ‘ફતાવા આલમગીરી’માં છે કે આ બધી જોષીઓની વાતો છે જે તદ્દન જૂઠી અને પાયાહીન વાતો છે. (આલમ, પ/૩૮૦)

Log in or Register to save this content for later.