Chapter : ઝકાત
(Page : 109)
સવાલ :– જો કોઈ કંપનીના શેરના ડિવિડંડ (નફા)ની જાહેરાત પહેલી જાન્યુઆરીના થતી હોય, પરંતુ જાહેરાત થયા પછી ચાર મહિને તે નફો મળતો હોય અને ચાર મહિનાઓ દરમિયાન શેર હોલ્ડરનું ઝકાતનું વર્ષ પૂરું થતું હોય તો શેર હોલ્ડરે નફાની મળનારી રકમની પણ ઝકાત આપવી પડશે કે નહિ?
જવાબ :–શેરોનો જે નફો કંપની પાસે જમા છે તે પોતાના વકીલ (નાયબ) અથવા શરીક (ભાગીદાર) અથવા મુઝારિબ પાસે જમા ગણાશે અને પોતાના બીજા ઝકાતપાત્ર નિસાબનું ઝકાત વર્ષ પૂરું થવા પર તે નફાની જમા રકમ ઉપર પણ ઝકાત લાગુ પડશે. (શામી : ર)
Log in or Register to save this content for later.