[૬૯] વેચવાની નિય્યતથી ખરીદેલા પ્લોટ ઉપર ઝકાત

Chapter : ઝકાત

(Page : 104-105)

સવાલ :– મારી પાસે મકાન બાંધકામના પ્લોટો છે, હાલ વેચાણ કરવું નથી. સારી કિંમત આવશે ત્યારે વેચીશ, તો આવા પ્લોટો પર ઝકાત વાજિબ થશે કે નહિ?

જવાબ :– જો મઝકૂર પ્લોટો તમોએ વધુ કિંમત લઈ વેપાર કરવાની નિય્યતથી ખરીદ કર્યા હતા અને અત્યાર સુધી તમોએ વેચવાની નિય્યતથી જ પોતાની પાસે રાખ્યા છે, તો મઝકૂર પ્લોટો વેપારની મિલકત ગણાશે, માટે આજના બજાર ભાવ મુજબ તેની કિંમત આંકી ઝકાત આપવી ઝરૂરી છે.                    (હિદાયહ અવ્વલૈન : ૧૭૦)

Log in or Register to save this content for later.