[૬૮] બાલિગ છોકરીના નિકાહ તેની મરજી વિરૂધ્ધ

Chapter : નિકાહ

(Page : 104)

સવાલ :– કોઈ બાલિગ છોકરીના નિકાહ એની ઈજાઝત વગર થઈ શકે છે? અને જો ઈજાઝત લેવામાં આવે પણ છોકરી રાજી ન હોય તો તેના બાપ અથવા બીજા કોઈ વલી એના નિકાહ કરી નાખે તો નિકાહ થશે કે નહિ?

જવાબ :– બાલિગ છોકરીના નિકાહ માટે તેની ઈજાઝત જરૂરી છે, જો ઈજાઝત લીધા વગર બાપ અથવા બીજું કોઈ રિશ્તેદાર તેના નિકાહ કરી દેશે તો તેની ઈજાજત પર મવકૂફ રહેશે. જો છોકરી મંજૂર કરશે તો તે નિકાહ જાઈઝ અને લાઝિમ ગણાશે અને મંજૂર નહિ કરે તો રદ બાતલ ગણાશે.

                અને છોકરી રાજી ન હોવા છતાં અને તેની રજા ન હોવા છતાં જે નિકાહ પઢાવવામાં આવશે તે જાઈઝ અને મોઅતબર નહિ ગણાય.(શામી–ર/ર૯૮)

Log in or Register to save this content for later.