Chapter : ઝકાત
(Page : 104)
સવાલઃ– પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી લીધેલી રકમ દેવા તરીકે ગણાય કે કેમ? અને તેને ઝકાત આપતી વખતે દેવા તરીકે મૂડીમાંથી બાદ કરવામાં આવશે કે નહિ ?
જવાબ :– પ્રોવિડન્ટ ફંડમાં જે રકમ છે તે તો ખાતેદારની જ છે, તેણે પોતાની રકમ લીધી છે, તેને દેવું કેવી રીતે ગણાય. માટે તેને ઝકાતપાત્ર મૂડીમાંથી બાદ ન કરી શકાય. હા, પોતાના કપાયેલા ફંડ કરતા વધારે લોન લીધી હોય તો વધારાના પ્રમાણને દેવું ગણવામાં આવશે અને ઝકાતપાત્ર મૂડીમાંથી બાદ કરી શકાય. (શામી પેજ :ર/ ૭)
Log in or Register to save this content for later.