Chapter : નમાઝ
(Page : 406)
સવાલ :– સામાન્ય રીતે મસ્જિદોમાં ખુલ્લી સહન પછી બે સફો થઈ શકે તેટલી જગ્યા અને જમાઅતખાનુ એમ ત્રણ એક બીજાથી વધુ ઉંચાઈએ હોય છે, જેમ કે એક મસ્જિદમાં સહન કરતાં વચ્ચેની જગ્યા ૪ ઇંચ અને જમાઅતખાનું એક ફૂટ જેટલું ઉંચુ હોય તો નીચેના ભાગમાં નમાઝ પઢનાર સામેથી ઉપરના ભાગમાં પસાર થવાથી નમાઝ તૂટી જાય છે ?
જવાબ :– નમાઝીના સામેથી કોઈ વ્યક્તિના પસાર થવાથી નમાઝીની નમાઝ તૂટતી નથી ભલે નમાઝી અને ગુજરનાર બન્ને સમથળ જમીન ઉપર હોય કે ઊંચી–નીચી જગ્યાએ હોય. અલબત્ત, જે જમાઅતખાનુ વચલી જગ્યા અને સહન મળીને ૬૦ × ૬૦ ફૂટ અથવા તેથી વધુ લંબાઈ–પહોળાઈમાં ન હોય તો નમાઝી સામેથી પસાર થનાર ગુનેહગાર થશે અને નમાઝીના ફક્ત એક–દોઢ ફૂટની ઊંચાઈ ઉપર હોવાથી પણ નીચે નમાઝ પઢનાર સામેથી પસાર થવું જાઈઝ નથી અને જો મજકૂર ત્રણ ભાગ મળી ૬૦ × ૬૦ ફૂટ લંબાઈ–પહોળાઈ થઈ જાય છે તો સહનમાં નમાઝ પઢનારની સામે એટલે દૂરથી મસ્જિદમાં પસાર થવું જાઈઝ છે કે નમાઝી સજદહની જગ્યાએ નજર રાખે તો પસાર થનાર ઉપર નજર ન પડે અને મજકૂર સૂરતમાં નમાઝીની સામે એટલે નજીકથી પસાર થવું નાજાઈઝ છે કે નમાઝી સજદહની જગ્યાએ નજર રાખે તો પસાર થનારને જોઈ શકે. (શામી : ૧/૪ર૬, તહતાવી : ૧૮૮, કબીરી : ૩૬૭, ઈમ. મુફતીન : ૪૧ર)
Log in or Register to save this content for later.