Chapter : હજ
(Page : 257-258-259)
સવાલ :– જે લોકો અહિંઆ જિદ્દહમાં રહે છે. જેમકે આપણા ઈન્ડિયાના ઘણા માણસો અહિંઆ રહે છે એ લોકો અહિંઆથી મદીનહ શરીફ જાય. કોઈ એક દિવસ અને કોઈ બે ત્રણ દિવસ અને ૧૦ દિવસ રહી પછી જિદ્દહ આવે છે. તો આવા મદીનહથી આવનાર માણસો મકકહ ઉમરહ કરી પછી જિદ્દહ આવવું કે પછી સીધા જિદ્દહ આવવું. ઉમરહ ન કરે તો કંઈ વાંધો ખરો કે ઉમરહ કરવો જરૂરી છે?
નોટ :–આ મસ્અલો હિંદુસ્તાનથી સઉદી અરબ કામ કરવા આવેલા માણસો માટે પૂછવામાં આવ્યો છે.
જવાબ :– જે હિન્દુસ્તાની લોકો સ.અરબમાં રહે છે તે ત્રણ પ્રકારના હોય છે, અમુક હજના એહરામ માટે નકકી કરેલ જગ્યાઓ કીવાં મીકાતથી બહાર રહે છે જો આવો માણસ મદીનહ મુનવ્વરહ જાય અને ત્યાં જવા માટે રસ્તામાં હરમ શરીફમાં દાખલ ન થવું પડતું હોય તો આવા માણસ પર ઉમરહ વાજિબ થતો નથી. તે મદીનહ મુનવ્વરહથી સીધો પોતાની જગ્યાએ આવી શકે છે. અને એવી જ રીતે જો મદીનહ મુનવ્વરહથી જિદ્દહ આવવા ચાહે અને રસ્તામાં હરમ શરીફમાં દાખલ ન થવું પડતું હોય તો પણ ઉમરહ કરવો વાજિબ નથી. હા, મદીનહ જતાં કે આવતાં હરમ શરીફમાં થઈ પસાર થવું પડતું હોય તો મીકાત પરથી ઉમરહ અથવા હજનો એહરામ બાંધી હજ કે ઉમરહ કરવો જરૂરી છે.
અમુક વ્યકિતઓ ખાસ મીકાત પર કે મીકાતના અંદરના અને હરમ શરીફના બહારના એરિયામાં રહે છે જેને ”હિલ્લે સગીર” કહેવામાં આવે છે. આવો માણસ મદીનહ મુનવ્વરહ જાય અને એનો ઈરાદો હજ કે ઉમરહ કરવાનો ન હોય તો ચાહે મદીનહ પહોંચવા માટે હરમ શરીફમાં દાખલ થવું પડતુું હોય કે ન હોય, મદીનહ જતાં તો ઉમરહનો કે હજનો એહરામ બાંધી ઉમરહ કે હજ કરવી જરૂરી નથી. હા, પાછા ફરતી વખતે જો હરમ શરીફમાં થઈ જિદ્દહ પાછા ફરવાનું થતું હોય તો હવે વાપસીમાં મદીનહ શરીફના મીકાત પરથી હજ કે ઉમરહનો એહરામ બાંધી તેને અદા કરવું જરૂરી છે.
અમુક લોકો ખાસ હરમ શરીફમાં જ રહે છે, આવા લોકો માટે પણ મદીનહ મુનવ્વરહ જતી વખતે તો ઉમરહ કે હજ કરી જવું ઝરૂરી નથી પણ મદીનહ મુનવ્વરહથી રસ્તામાં હરમ શરીફ થઈને આવવું પડતું હોય તો આવા માણસો માટે પણ મદીનહ મુનવ્વરહના મીકાત પરથી હજ કે ઉમરહનો એહરામ બાંધી હજ કે ઉમરહ અદા કરી પછી જિદ્દહ આવવું જરૂરી છે. (દુર્રે મુખ્તાર શામી સાથે – ર/૧પ૪, ૧પપ, હિદાયહ અવ્વલૈન–ર૧૪)
Log in or Register to save this content for later.