Chapter : હજ
(Page : 256-257)
સવાલ :– ઉમરહ કર્યા પછી વાળ કેટલા કપાવવા? ઘણા લોકો એવુું કરે છે કે ઉમરહ કર્યા પછી માથામાંથી અમુક જગ્યાએથી કેંચીથી ચાબકા મારી આપે છે, અને ઘણા લોકો વાળ નાના કરાવે છે જે એક ઈંચથી પણ ઓછા, બલ્કે અડધો ઈંચ વાળ કપાવે છે, ખુલાસો એટલો જ કરવાનો કે પહેલો ઉમરહ કર્યા પછી જેટલા પણ ઉમરહ કરે ત્યારે કેટલા વાળ કપાવવા?
જવાબ :– જો માથું મૂંડાવવું ન હોય તો કસર એટલે કે વાળ ચોકકસ પ્રમાણમાં કપાવવા વાજિબ છે અને તે પ્રમાણ વાળની લંબાઈમાં આંગળીના બેડકાથી થોડું વધારે છે. આંગણીનું બેડકું લગભગ પોણા ઈંચનું આવે છે એટલે એક ઈંચ કપાવવા જોઈએ. તાકે વાળ લાંબા ટૂંકા હોવાને લઈને બધા જ વાળ પોણા ઈંચની લંબાઈથી કપાવવામાં આવી જાય અને વાળ કપાવવાનું પ્રમાણ માથાના ફેલાવામાં ચોથાઈ માથું છે કે ઓછામાં ઓછા ચોથાઈ માથાના વાળ કપાવવા વાજિબ છે, પરંતુ એ યાદ રાખવું ઘટે કે ચોથાઈ માથાના વાળ કેંચી વડે એક બેડકાની લંબાઈમાં કપાવવા જાઈઝ તો છે અને તેનાથી એહરામથી હલાલ તો થઈ જશે પણ ફકત ચોથાઈ માથાના વાળ કપાવવા મકરૂહે તહરીમી અને સુન્નત વિરૂધ્ધ છે. સુન્નત તરીકો એ જ છે કે ચાહે તો પૂરા માથાના વાળ મૂંડાવે અને ચાહે તો પૂરા માથાના વાળ એક બેડકાની લંબાઈમાં કપાવે.
કોઈ માણસે એકથી વધુ વાર ઉમરહ કર્યા અને એક પછી એક ઉમરહ કરવાથી દરેક ઉમરહના એહરામમાં વાળ કપાવવાના લઈ વાળ એટલા નાના થઈ ગયા કે લંબાઈમાં આંગળીના બેડકા બરાબર નથી રહયા તો હવે વાળ કપાવવા કાફી નથી. કારણ કે વાળ કપાવવાનું જે વાજિબ પ્રમાણ છે તેટલા પ્રમાણમાં કપાવવા મુશ્કિલ અને અશકય છે. માટે આવી સૂરતમાં બાલ મૂંડાવવા વાજિબ છે અને મૂંડાવ્યા પછી બીજો ઉમરહ કરે અને તે ઉમરહથી હલાલ થવા આગળ મૂંડાવી નાખવાથી મૂંડાવવા લાયક વાળ પણ રહયા નથી તો ફકત માથા પર અસ્તરો ફેરવવો એહરામથી હલાલ થવા માટે વાજિબ છે. (શામી–ર/૧૮૧, ૧૮ર)
Log in or Register to save this content for later.