[૧૯૩] ખૂશ્બૂદાર હજરે અસ્વદનો ઈસ્તિલામ

Chapter : હજ

(Page : 253)

સવાલઃ–  કેટલાક ઉલમાએ કિરામથી હમણાં જાણવા મળ્યું કે એહરામની હાલતમાં ”હજરે અસ્વદ”ને બોસો દેવા કરતાં દૂરથી ઈસ્તિલામ કરી લેવો જોઈએ કારણકે હજરે અસ્વદ ઉપર હાજીઓ અત્તર લગાડે છે તો તેની ખૂશ્બુ મોં – હાથમાં આવી જાય એટલે દમ વાજિબ થાય, માટે એહરામની હાલતમાં મોકો મળે તો બોસો આપી દેવો કે દૂરથી ઈસ્તિલામ કરવો?

જવાબઃ –જો હજરે અસ્વદ પર અત્તર લાગેલું હોય તો મુહરિમે તેને ચુંબન અને હાથ લગાવીને ઈસ્તિલામ ન કરવું જોઈએ કારણ કે મુહરિમ માટે શરીર પર ખૂશ્બુ લેવી મના છે આવી સૂરતમાં મુહરિમે કોઈ બીજી વસ્તુ હજરે અસ્વદને લગાવીને ઈસ્તિલામ કરવું જોઈએ.       (ઝુબ્દહ–૧/૯૭)

Log in or Register to save this content for later.