[૧૯૧] મદીનહથી મકકહ જઈ ઉમરહ કરવાની નિય્યત

Chapter : હજ

(Page : 251-252)

સવાલ :– હજ પૂરી થયા પછી હમો ૧૦ દિવસ મદીનહ શરીફ ગયા અને ત્યાંથી હમારો ઈરાદો પાછા મકકહ આવવાનો હતો જેથી ઉમરહ કરી જિદ્દહ પહોચવું, પણ અમુક વ્યકિતઓથી જાણવા મળ્યું કે મદીનહથી મકકહ આવવા દેતા નથી.  મદીનહથી સીધા જિદ્દહ પહોંચાડે છે જેથી અમો રૂબરૂ સરકારી ટ્રાન્સપોર્ટ કંપનીમાં જઈ તપાસ કરી તો વાત સાચી હતી જેથી હમો એહરામ વગર જિદ્દહ પહોંચ્યા અને ઉમરહ કરવાનો વિચાર ત્યાં  જઈ માંડી વાળ્યો, જેથી એહરામનો સવાલ જ ન હતો, જેથી અમને દમ લાગુ પડે છે? જો હોય તો કારણ સહિત જણાવવા વિનંતી.

જવાબ :– જો મદીનહ મુનવ્વરાથી જિદ્દહ આવતાં એવી નિય્યત હતી કે જિદ્દહથી મકકહ જઈશું. તો જિદ્દહથી ઉમરહનો એહરામ બાંધવો જરૂરી હતો અને આવી નિય્યતની સૂરતમાં વગર એહરામે મકકહ ગયા હોય તો દમ આપવો જરૂરી છે. અને જો મદીનહથી જિદ્દહ આવતાં મકકહ મુકર્રમહ જવાની નિય્યત ન હતી બલ્કે વતન આવવાની નિય્યત હતી પરંતુ પાછળથી મકકહ જવાની ગુંજાઈશ મળતાં ઉમરાની નિય્યત વગર મકકહ ગયા તો આ સૂરતમાં દમ વાજિબ નહીં થાય અને એક હજ અને ઉમરહ કરવો પણ વાજિબ નહીં થાય.  (જવાહિરૂલ ફિકહ – ૧/૪૯૧)

Log in or Register to save this content for later.