Chapter : ઝકાત
(Page : 96-97)
સવાલ :– પોલ્ટી્રફોર્મના મરઘાનું ખાતર (હગાર) પર ઝકાતની ગણતરી કઈ રીતે કરવી ? ખાતર પોલ્ટ્રીફાર્મના શેડમાં છે, જે કેટલું છે અંદાજ કરી શકાય નહિ, માટે ખાતર વેચ્યા પછી ઝકાત કાઢવી કે કેમ? અમુક વાર ખાતરની કિંમત કરતા મજૂરી વધી જાય છે. દા.ત. ૩ હજાર રૂપિયાનું ખાતર થયું અને ફાર્મમાંથી બહાર કાઢવાની મજૂરી ૪ હજાર થાય તો આમા ગણતરી કઈ રીતે કરવી ? અને શું ખાતરના રૂપિયા વાપરી શકાય ? આ ખાતરનો ઉપયોગ ખરીદનાર ખેતી માટે કરે છે.
જવાબ :– ઝકાતનું વર્ષ પૂરું થતાં પહેલાં મરઘાની હગારનો નિકાલ કરવામાં આવશે તો મઝકૂર સવાલ ઉપસ્થિત નહિ થાય, વળી ખેત ઉત્પાદન અને તેની ઝકાતમાં ગોતર, ઘાસ અને પાલાની જેમ મરઘાની હગાર એ પોલ્ટ્રીફાર્મના ધંધાની આવકના મુખ્ય હેતુઓમાંથી નથી એટલે તેને ઝકાતના હિસાબમાં ન ગણે તો પણ ગુંજાઈશ છે, પરંતુ તે વેપારના માલનો આવક પાત્ર વધારો છે એટલે એહતિયાતની વાત એ છે કે ઝકાતના હિસાબમાં તેનો પણ સમાવેશ કરી લેવામાં આવે, હગારનું ખાતર તરીકે વેચાણ કરવું જાઈઝ છે અને તેની કિંમતનો ઉપયોગ કરવો પણ જાઈઝ છે.
(શામી–ર/ર૩,પ૦, બદાઈઅ – ર, શામી–૪/૧૦પ)
Log in or Register to save this content for later.