Chapter : ઝકાત
(Page : 96)
સવાલ :– મારી પાસે ત્રણ લાખ રૂપિયાનું મરઘાને ખવડાવવાનું અનાજ વગેરે છે, તો શું તેના ઉપર ઝકાત કાઢવી પડશે? જો અનાજ ન ખરીદયું હોત તો આ રૂપિયા મારી પાસે રોકડા હોત તો મારે તે રૂપિયાની ઝકાત આપવાની રહેશે ?
જવાબ :– પોલ્ટ્રીફોર્મના માલિકે મરઘાને ખવડાવવા જે ખોરાક ખરીદ કર્યો હોય અને ઝકાતનું વર્ષ પૂરું થવાના દિવસે તે ખોરાકનો સ્ટોક મવજૂદ હોય તો પણ તે ખોરાકના સ્ટોક પર ઝકાત લાગુ પડશે નહિ, કારણ કે તે ખોરાક વેપાર માટે ખરીદવામાં આવ્યો નથી, રોકડ રકમ સાથે ખોરાકના સ્ટોકને સરખાવવો એ બરાબર નથી
المالک اذا اشتری عبیداً للتجارۃ ثم اشتری لھم ثیاباً لکسوۃ وطعاماً للنفقۃ فانہ لایکون للتجارۃ، لان المالک کما یملک الشراء للتجارۃ یملک الشراء للنفقۃ والبذلۃ ) البدائع: ۵؍۹۵، شامی: ۲؍۱۰، ھندیہ :۱؍۱۸۰(
Log in or Register to save this content for later.