Chapter : નિકાહ
(Page : 96-97)
સવાલ :– અમારી દીકરી શમીમબાનુના નિકાહ શરીઅત મુજબ કરવામાં આવ્યા હતા, નિકાહ વખતે છોકરીની ઉમર ૧ર થી ૧૩ વર્ષની હતી, નિકાહ પછી છોકરીની રૂખ્સતી પહેલાં જેના સાથે નિકાહ કરવામાં આવ્યા હતા, તે છોકરો ખરાબ ધંધામાં લાગી ગયો છે અને એ ખરાબ આદતો હવે છૂટે એમ લાગતુ નથી, તો હવે છોકરી ઉમર લાયક થતા છોકરાની ખરાબ આદતોના લઈ તેના ઘરે જવાનું ના પાડે છે, તો આપ સાહેબથી ગુઝારિશ છે કે હવે છોકરીને છોકરાના નિકાહમાંથી અલગ કઈ રીતે કરવી તે વિશેનો ખુલાસો કરશો.
જવાબઃ– નિકાહ વખતે શમીમ બાનુ ૧ર – ૧૩ વર્ષની વય મર્યાદાની જેમ બાલિગ હોવાની બીજી નિશાનીઓ (હૈઝ – એહતિલામ) મુજબ પણ નાબાલિગ હતી અને તેના નિકાહ બાપ અથવા દાદાએ કરાવ્યા હતા, તો મજકૂર સૂરતમાં હવે છોકરાના તલાક આપ્યા સિવાય નિકાહથી છૂટકારો ન થઈ શકે. જો છોકરો તલાક આપતો ન હોય અને ખુલઅ રૂપે તલાક આપવા રાજી હોય તો તે પ્રમાણે તલાક લઈ શકાય છે, પરંતુ છોકરા ઉપર ઝબરદસ્તી ન થઈ શકે. અને જો છોકરીના નાબાલિગ હોવાની સૂરતમાં બાપ – દાદા સિવાય કોઈ બીજા સગા સ્નેહીએ રિશ્તો નક્કી કરી નિકાહ કરાવ્યા છે, તો બાલિગ થતાંની સાથે જ છોકરીને નિકાહ નામંજૂર કરવાનો અધિકાર મળ્યો હતો જે અધિકાર ને ” ખિયારે બુલૂગ” કહેવામાં આવે છે, તે ખિયાર હેઠળ અનેક શર્તો અને વિગત સાથે નિકાહ રદ કરી શકાય છે, પરંતુ તે શર્તો અને નિકાહ રદ કરાવવાની વિગત ઘણી લાંબી અને જીણવટ ભરી છે માટે કોઈ મોલવી સાહેબથી મળી ”અલ હીલતુલ – નાજિઝહ” નામી કિતાબનો અભ્યાસ કરી વિગતવાર માહિતી મેળવવી જોઈએ, તાકે માલૂમ થઈ શકે કે આ નિકાહમાં ખિયારે બુલૂગ હેઠળ નિકાહ રદ કરવાની શકયતા છે કે નહિ ?
Log in or Register to save this content for later.