Chapter : નિકાહ
(Page : 100-101)
સવાલઃ– અમારા સમાજમાં જયારે કોઈ પણ વ્યકિતના નિકાહ થાય છે, તેમાં નિકાહ વખતે છોકરી ખુશ હોવા છતાં શરમના કારણે રજા આપતી નથી, પરંતુ તેની જગ્યાએ તેની માં અથવા તો બાપ રજા લેવા આવનાર વકીલને નિકાહ પઢાવવા માટે રજા આપી દે છે તો શું નિકાહ દુરસ્ત થશે કે નહિ? ઘણી વખત માં–બાપની પણ રજા લીધા વગર વકીલ પાછા આવે છે અને નિકાહ પઢાવનારને ગવાહી આપી દે છે કે અમે રજા લીધી છે અને તે ઉપરથી નિકાહ પઢાવનાર નિકાહ પઢાવી આપે છે, તો શું નિકાહ સહીહ ગણાશે ?
જવાબ :– બાલિગ છોકરીના નિકાહની ઈજાઝત લેવા વકીલ જાય અને તે વકીલને છોકરીના બાપે પોતાની છોકરી પાસે નિકાહની ઈજાઝત લેવા ન મોકલ્યા હોય તો વકીલના ઈજાઝત લેતી વખતે માત્ર છોકરીના ચુપ રહેવાથી અને ખુશ હોવાથી ઈજાઝત ગણાતી નથી, બલ્કે આ સૂરતમાં છોકરીએ મોઢેથી બોલીને ઈજાઝત આપવી જરૂરી છે અને બાલિગ છોકરી તરફથી બાપનું અથવા માનું ઈજાઝત આપવું પુરતું નથી, ખુદ છોકરીની જ ઈજાઝત જરૂરી છે, જો આ પ્રમાણે છોકરીના મોઢેથી ઈજાઝત લીધા વગર અથવા માત્ર માંની ઈજાઝતથી વકીલે નિકાહ પઢાવી આપ્યા તો હવે નિકાહ સંપૂર્ણ રીતે ત્યારે દુરસ્ત થયેલા ગણાશે જયારે કે તે છોકરીને આ નિકાહની જાણ થઈ જાય અને તેની રાજીખુશીથી નિકાહ પઢનાર છોકરો તેની સાથે એકાંતવાસો કરે અથવા દેહ સંબંધ થઈ જાય.(શામી :ર/૩૦૧)
Log in or Register to save this content for later.