Chapter : ઝકાત
(Page : 89-90)
સવાલ :– અમારી જમીન આજે એક વર્ષ થવા આવ્યું છે તે વેચાણ થયેલી છે અને તેની જે રકમ અમારા હાથમાં આવેલી પહેલી કિસ્તમાં અમે હજ પઢવા ગયેલા. બીજી કિસ્તના રૂપિયા લગભગ આજથી બે મહિના પહેલાં હમારા હાથમાં આવેલા હતા અને તે રૂપિયા બેંકમાં મુકયા છે અને ત્રીજી કિસ્તના રૂપિયા આજે એટલે કે ૪/૧૧/૯૯ ના રોજ આવ્યા છે તો ઝકાત બાબત જણાવવાનું કે કોઈ પણ રૂપિયા સોના–ચાંદી જે એક વર્ષ થાય તો ઝકાત લાગુ પડે, તો હમારી પાસે જે રકમ છે તે રકમને એક વર્ષ થયું નથી બલ્કે રમઝાનમાં કરીબ કરીબ ચાર યા પાંચ મહિના થશે તો તેના ઉપર ઝકાત લાગુ પડશે કે નહિ ?
જવાબ :– જો આ જમીન વેચતાં પહેલાં તમો સાહિબે નિસાબ માલદાર માણસ હતા તો તમારું ઝકાતનું વર્ષ પૂરું થતું હોય ત્યારે બીજી અને ત્રીજી કિસ્તની રકમની ઝકાત પણ આપવી પડશે, ચાહે જમીનની રકમ ઉપર વર્ષ પૂરું ન થયું હોય અને જો જમીન વેચતા પહેલા તમો ઝકાત ફર્ઝ થવા પાત્ર સાહિબે નિસાબ માલદાર ન હતા તો જયારથી તમોએ જમીન વેચી ત્યારથી માલદારીના નિસાબના પ્રમાણમાં જમીનની કિંમતના માલિક બનવાથી તમો માલદાર ગણાશો અને જમીન વેચી તે દિવસથી જ રોકડ અને ઉધાર બન્ને પ્રકારની કિંમત પર તમારું ઝકાતનું વર્ષ શરૂ થયેલું ગણાશે અને જયારે ઉધાર કિંમતમાંથી નિસાબ જેટલી અથવા તેથી વધુ રકમ વસૂલ થશે ત્યારે વેચ્યા પછી જેટલા વર્ષો વીત્યા હશે તેટલા વર્ષોની તે રકમની ઝકાત આપવી પડશે. (શામી – ર / ૩પ,૩૬)
Log in or Register to save this content for later.