Chapter : ઝકાત
(Page : 82-83)
સવાલ :– મારી વાલિદહ પાસે સોનું હતું, મારી શાદી ૧ વર્ષ પહેલાં ઓગસ્ટ મહિનામાં થઈ હતી ત્યારે બધુ સોનું વાલિદાએ મને આપી દીધું હતું, સોનું એટલું છે કે તેના ઉપર ઝકાત વાજિબ થઈ ગઈ છે, પણ મારે એ જાણવું છે કે મારે ઝકાત કયારે આપવી, ઓગસ્ટ મહિનાની ૧૩ તારીખના ૧ વર્ષ પૂરું થયું છે, તો શું મારે ઝકાત ઓગસ્ટમાં જ આપવી કે પછી રમઝાનમાં આપે તો ચાલે ? ઓગસ્ટ મહિનો પસાર થવાને ર મહિના થઈ ગયા છે તો આપ તફસીલથી જણાવશો કે ઝકાત કયારે આપવી ?
જવાબ :– જો આ સોનું તમોને મળતાં પહેલા તમો માલદાર ન હતા અને તમારી ઉપર ઝકાત ફર્ઝ ન હતી, આ સોનું બક્ષિશ મળ્યા પછી જ તમો માલદાર બન્યા છો, તો જયારથી તમો આ સોનાના માલિક બન્યા છો ત્યારથી એક ઈસ્લામી વર્ષ પૂરું થયા પછી તમારા ઉપર આ સોનાની ઝકાત ફર્ઝ થઈ ગઈ છે, માટે મઝકૂર વર્ષ પૂરું થવા પર તમારે ઝકાતનો હિસાબ કરી લેવો પડશે, ચાહે તમો ઝકાત રમઝાનમાં અદા કરો તેમાં વાંધો નથી, પરંતુ બેહતર તો આ જ છે કે જયારે ઝકાતના માલ પર ઈસ્લામી વર્ષ પૂરું થઈ જાય તો હિસાબ કરીને ઝકાત આપી દેવી જોઈએ.
અને જો તમો આ સોનું બક્ષિશ મળતાં પહેલા પણ એવા માલદાર હતા કે તમારી ઉપર ઝકાત ફર્ઝ હતી તો આ સોનું મળતાં પહેલાં તમારું જે ઝકાતનું વર્ષ ગણાતુ હતું તે વર્ષ મુજબ ઝકાત આપવી પડશે અને ત્યારે આ સોનાની ઝકાત પણ આપવી પડશે. ચાહે આ સોનું મળ્યાને હજુ ઈસ્લામી વર્ષ પૂરું ન થયું હોય, કારણ કે આ સૂરતમાં મઝકૂર સોનું આગલા નિસાબના તાબે ગણાશે. (શામી – ર)
Log in or Register to save this content for later.