Chapter : ઝકાત
(Page : 85-86-87)
સવાલ :– અહીં ભરૂચ ખાતે હું ટેલરીંગ મટીરિયલ્સની (દરજી કામની આઈટમોની) દુકાનનો માલિકી હક ધરાવું છું, જેનું વાર્ષિક નફા–નુકસાનનું સરવૈયુ દર વર્ષની જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનું કાઢવામાં આવે છે, ગત ૧૯૯૮ની જાન્યુઆરીથી ડિસેમ્બર ૯૮ની નફા – નુકસાનની વિગતો નીચે મુજબ છે.
૧૯૯૮ની જાન્યુઆરી થી ડિસેમ્બર ૯૮ સુધીમાં વેપારમાં જે નાણાંનું રોકાણ કરવામાં આવેલ છે તે પૈકી ફેબ્રુઆરી, ૯૮માં રૂા ૩૭૩પ–૦૦, માર્ચ ૯૮માં ૪પપ૦૦/–, એપ્રિલમાં ૮૧૩૦/–, મે માસમાં ૩૧૮૩૦/–, જૂનમાં ૧૦૦૬પ/–, જુલાઈમાં ૩૮ર૦/–, સપ્ટેમ્બરમાં ૬૦,૭૦૦/–, ઓકટોબરમાં ૩૮૪૦/–, નવેમ્બરમાં રપપ૦૦/– અને ડિસેમ્બરમાં ૪ર૩૮પ/–નું રોકાણ કરવામાં આવેલ હતું, જેમાંથી નફો રૂપિયા ૮૬પ૩પ/– થતા મારા વાલિદૈનને રમઝાન માસ બાદ જ હજ અદા કરવાની હોવાથી આ નફાની રકમમાંથી રૂા ૮૦,૦૦૦/– નવેમ્બરમાં ચૂકવી દેવામાં આવેલ છે.
તો ઉપર જણાવ્યા મુજબ ઝકાત માલ ઉપર અદા કરવાની છે કે પછી મળેલ નફાની રકમ ઉપર કે, પછી બન્ને ઉપર અદા કરવાની છે અને કેટલી અદા કરવી પડે ? એ બાબત શરઈ રૂએ સ્પષ્ટતા કરવા વિનંતી.
ઝકાત અદા કરતાં પૂર્વે મારે દુકાનનું રૂા ૧ર,૧૦૦/–નું દેવું પણ અદા કરવાનું છે. આ બાબતે પણ સ્પષ્ટતા કરશો. દુકાન માટે જે માલ ખરીદવામાં આવેલ છે તેના પર વર્ષ પૂર્ણ થઈ ગયેલ ગણવું શરઈ રૂએ ઝરૂરી છે કે કેમ ? તે પણ જણાવશો, કારણ કે મારે ખરીદેલ માલ પૈકી કેટલાક માલ પર વર્ષ પૂરું થયેલ નથી અને વર્ષ પૂરું થતાં પેહલાં જ તે માલ વેચાઈ જાય છે, તો ઝકાત આપવા તે બાબતે શું હુકમ છે ?
દુકાનમાં માલ ઉપરાંત શર્ટમાં ગાજ પાડવાનું મશીન પણ છે તો મશીનની ખરીદ કિંમત પર એક વખત ઝકાત અદા કરવાથી ઝકાત અદા થઈ જાય છે કે પછી દર વર્ષે મશીનની ઝકાત અદા કરવી પડે.
ગત જાન્યુઆરી–૯૮માં દુકાનની ઝકાત અદા કરી હતી, જે જાણ માટે લખું છું
જવાબ :– વેપારના ધંધાની ઝકાત અદા કરવાનો તરીકો આ છે કે રોકડ રકમ જે હાથ ઉપર હોય અને બેંકમાં જમા હોય, ગ્રાહકો પાસેની લેણી રકમ જે વેચેલા માલની કિંમત પેટે લેવાની હોય અને દુકાનમાં વેચવા માટેના માલનો જે સ્ટોક હોય તે માલની વેચાણ કિંમત, આ ત્રણેવ વસ્તુઓનું ટોટલ કરી, તેમાંથી જે દેવું અદા કરવાનું હોય, તે બાદ કરવામાં આવે અને બાદ કર્યા પછી બાકી પડતાં ટોટલની અઢી ટકાના હિસાબથી ઝકાત અદા કરવામાં આવે, જયારે ઝકાતના હિસાબનું વર્ષ પૂરું થાય ત્યારે ઉપર જણાવેલ ત્રણ વસ્તુઓ એટલે કે રોકડ રકમ, લ્હેણી રકમ, અને સ્ટોક માલમાંથી, જે વસ્તુ જેટલી મવજૂદ હોય તે પૂરેપૂરી ગણવામાં આવશે, ચાહે તેના ઉપર વર્ષ પૂરું વીત્યું હોય કે ન વીત્યું હોય અને વર્ષ પૂરું થતાં પહેલાં દર મહિનાનું ટર્ન ઓવર અને નફાનો ઝકાતના હિસાબમાં કોઈ એઅતિબાર નહિ થાય અને વર્ષ પૂરું થતા પહેલાં જે રકમ વપરાય ચૂકી હોય તેની ઝકાત નહિ આપવી પડે. માટે વાલિદ સાહેબને હજ માટે ભેટ તરીકે આપેલી રકમની ઝકાત તમારે નહિ આપવી પડે. એ વાત યાદ રહે કે ઝકાત ઈસ્લામી વર્ષના હિસાબથી આપવી ઝરૂરી છે, અંગ્રેજી વર્ષ પ્રમાણે હિસાબ કરવો દુરૂસ્ત નથી અને દુકાનમાં જે મશીનથી ગાજ પાડવામાં આવે છે તે મશીનની કિંમત પર ઝકાત ફર્ઝ નથી.
Log in or Register to save this content for later.