[૩૪ર] ફજરની સુન્નત છોડીને ઈમામત

Chapter : નમાઝ

(Page : 372-373)

સવાલ :– ફજરની નમાઝની જમાઅત પ–૪૦ કલાકે થાય છે અને તુલૂએ આફતાબ ૬–૦૭ કલાકે થાય છે. ઈમામ સાહેબ બરાબર પ–૪૦ના પોતાના ઘરેથી મસ્જિદમાં દાખલ થાય છે વુઝૂ બનાવી સુન્નત પઢયા વગર જમાઅત કરાવે છે તો આ હાલતમાં ઈમામ સુન્નત પઢયા વગર જમાઅત કરાવી શકે છે? નમાઝ સહીહ થશે ?

જવાબ :– ઈમામ ફજરની સુન્નત પઢયા વગર ફજરની નમાઝ પઢાવશે તો તેમણે પઢાવેલી નમાઝ જાઈઝ અને દુરૂસ્ત ગણાશે. પરંતુ ઈમામે આ પ્રમાણેની ફજરની સુન્નત છોડવાની આદત બનાવી લેવી ગુનાહ છે અને લોકો તેઓની આ કોતાહીના કારણે તેઓની પાછળ નમાઝ પઢવાનું પસંદ ન કરતા હોય તો તેઓની ઈમામત મકરૂહ કહેવાશે.  (શામી : ૧)

Log in or Register to save this content for later.