[૩પ૬] નપુસક મર્દની ઈમામત

Chapter : નમાઝ

(Page : 385)

સવાલ :– એક આલિમ જે ઈમામત કરાવે છે અને હજુ સુધી એમની શાદી થઈ નથી, તેમને આંતરિક બિમારી છે, અને એમને નામર્દી થઈ જવાથી તેઓ શાદી કરવાની ચોખ્ખી ના પાડે છે અને તેઓ ઈમામત કરાવે છે, તો શું તેમની ઈમામત સહીહ છે? શુ આવી હાલતમાં ઈમામત કરી શકાય કે નહિ? આવી વ્યકિતની ઈમામતમાં કોઈ વાંધો છે કે નથી તે જણાવશો.

જવાબ :– જો નમાઝીઓ તેમની ઈમામતથી નફરત ન કરતા હોય તો તેમની ઈમામત વિના કરાહતે જાઈઝ છે.            (શામી–૧/૩૭૮)

Log in or Register to save this content for later.