Chapter : નમાઝ
(Page : 381)
સવાલ :– મુંબઈમાં રેલ્વે સ્ટેશન પાસે અને બસ ડેપો સામે મુસારફખાનુ છે, તેમાં બીજા માળ ઉપર એક રૂમ ઈબાદતખાના માટે છે, તેમાં જે ઈમામ સાહેબ નમાઝ પઢાવે છે તેમણે ફજરની જમાઅત નકકી સમયથી ૧૦ મિનિટ જલ્દી ઉભી કરી નાખી, તેઓ અમોને ઓળખે છે. અમોને જોયા પણ હતા, અમો ઈસ્તિન્જહ વુઝૂ વગેરે કરીને આવ્યા એટલે નમાઝ ખતમ થઈ ગઈ , નમાઝનો ટાઈમ તો હમો ફારિગ થઈને આવ્યા ત્યારે થઈ રહયો હતો, તો આવા ઈમામ માટે જે કીનો – મેલ રાખી ઈમામત કરાવતા હોય અને મુસલ્લિયોનો બિલકુલ ખ્યાલ ન રાખતા હોય, તેવા ઈમામ માટે અમોને માર્ગદર્શન આપશો.
જવાબ :– જમાઅતનો ટાઈમ લોકો જમાઅતમાં શરીક થઈ શકે અને જમાઅતના નકકી કરેલા ટાઈમથી પહેલાં પોતાની પાકી–સફાઈની જરૂરતોથી ફારિગ થઈ શકે એજ હેતુથી નકકી કરવામાં આવે છે, અને હદીષ શરીફથી પણ મુસ્તહબ વખતની રિઆયત કરીને વધુ લોકો જમાઅતમાં શરીક થઈ શકે એવી રીતે નમાઝ પઢાવવી સાબિત છે. માટે નકકી કરેલા સમયથી પહેલાં જમાઅત કરી લેવી કોઈ કારણ વગર એ દુરૂસ્ત નથી. લોકોની જમાઅત છૂટવાનો ગુનાહ લાગુ પડશે. અને ઈમામે નમાઝીઓથી કીનો રાખવો એ જાઈઝ નથી, એવા ઈમામની ઈમામત મકરૂહ થાય છે.(શામી – ૧/૩૭૬,૩૭૯)
Log in or Register to save this content for later.