[૩પ૧] ઉઝરથી દાઢી કપાવનારની ઈમામત

Chapter : નમાઝ

(Page : 380)

સવાલ :– અગર કોઈ મોલ્વી સાહેબે એકસીડન્ટ થવાથી ચેહરા પર આવેલા ઝખમના ઈલાજ માટે મજબૂરીમાં દાઢી મુંડાવી અને હાલ તેઓની દાઢી એક મુઠ્‌ઠીથી નાની છે અને ઝખમ સારો થઈ જવાથી હવે પછી પૂરી દાઢી રાખશે, તો હાલ જયારે કે દાઢી એક મુઠ્‌ઠીથી નાની છે તેઓ ઈમામત કરી શકે છે?

જવાબ :– જે મોલ્વી સાહેબે ચેહરા પર આવેલા ઝખમના ઉપાય માટે મજબૂરીના કારણે દાઢી કઢાવી હોય અને હાલ તેઓની દાઢી એક મુઠઠીથી નાની હોય અને ઝખમ સારો થઈ જવાથી હવે પછી પુરી દાઢી રાખવાનો પાકો ઈરાદો હોય, તેઓની ઈમામત વિના કરાહતે જાઈઝ છે. કારણ કે એક મુઠઠીથી નાની દાઢી વિના મજબૂરીએ કપાવનાર ફાસિક છે અને તેના ફાસિક હોવાના કારણે તેની ઈમામત જાઈઝ નથી, અને આ મોલ્વી સાહેબનું દાઢી કપાવવું ફિસ્ક અને ગુનાહ નથી, બલકે મજબૂરીના કારણે કપાવેલ છે, માટે તેઓની ઈમામત વિના કરાહતે જાઈઝ છે.                 (શામી ભાગ – ૧/ર)

Log in or Register to save this content for later.