Chapter : નમાઝ
(Page : 380)
સવાલ :– મસ્જિદના ઈમામ કેવા હોવા જોઈએ ? ઈમામતના શું શરાઈત છે ? એક માણસ છે જે ન હાફિઝ છે, ન મોલ્વી, ન કારી છે. પઢવામાં લહને જલીથી જેમકે એક હરફની જગ્યાએ બીજો હરફ એટલે ص ની જગ્યાએ س પઢે છે. ઝબરની જગ્યાએ ઝેર યા પેશ પઢે છે વગેરે, તો શરઈ દ્રષ્ટિએ આવો માણસ ઈમામત કરાવી શકે છે? આવો માણસ ઈમામ હોય તો તેને હટાવી દેવો જોઈએ ?
જવાબ :– ઈમામત માટે એવા માણસને નકકી કરવા જોઈએ કે જે આલિમ હોય નમાઝના મસાઈલથી વાકિફ હોય, કારી હોય જે તજવીદ સાથે સહીહ તરીકાથી કુર્આન પઢતા હોય, સુન્નત કિરાઅત પઢી શકે એટલી સૂરતોના હાફિઝ હોય, દીનદાર હોય, ફાસિક અને બેદીન ન હોય.
કમીટીની જવાબદારી છે કે આવા માણસને ઈમામ નકકી કરે. જો આવા ઈમામ મળવા છતાં કુર્આન સહીહ ન પઢનાર ને, મસાઈલથી ના વાકિફ માણસને ઈમામ બનાવવામાં આવશે તો કમીટી સભ્યો ગુનેહગાર થશે, અને સવાલમાં લખવા મુજબ તે માણસની ઈમામત મકરૂહ ગણાશેે, તેઓએ પોતે રાજીનામું આપી દેવું જોઈએ, જે માણસ ઈમામતની લાયકાત ન હોવા છતાં અને નમાઝીઓની નારાઝગી છતાં ઈમામત કરાવશે તો નમાઝ ન કબુલ થવાની વઈદ આવેલી છે અને તેની ઈમામત મકરૂહે તહરીમી છે, જો તે રાજીનામું ન આપે તો કમીટી તેઓને છુટા કરી શકે છે.
(શામી ભાગ–૧ / ૩૭૬)
Log in or Register to save this content for later.