Chapter : નમાઝ
(Page : 383-384)
સવાલ :– એક મસ્જિદમેં ઈમામ સાહેબ બિમાર હેં, યા કહીં બહાર ગયે હુવે હેં ઔર મસ્જિદ કે અંદર ઔર ભી આલિમ – હાફિઝ નમાઝ પઢાને વાલે હોતે હેં, કયા ઉન્કી મોજુદગીમેં એસા આદમી જો આલિમ, હાફિઝ તો ન હો લેકીન કુરઆન અચ્છા પઢતા હો, નમાઝ કે મસાઈલ સે ભી વાકિફ હો ઔર મુત્તકી ઔર પરહેઝગાર ભી હો, એસા શખ્સ નમાઝ પઢા શકતા હૈ યા નહિ? ઔર એસે શખ્સ કે પીછે નમાઝ હોતી હે યા નહિં ઓર નમાઝ પઢના જાઈઝ હે યા નહિં? કુરઆન ઔર હદીષ કી રોશની મેં જવાબ અતા ફરમાએં.
બાઝ જગા હમને યે ભી દેખા હે કે બડે બડે આલિમ – હાફિઝ હોતે હેં લેકિન ઉસકે બાવુજુદ મસ્જિદકા ઈમામ ઐસા આદમી હોતા હૈ જો કે ના હાફિઝ હે ન કે આલિમ ફિર ભી વો નમાઝ પઢાતા હૈ તો યે કેસા હે?
જવાબઃ– જે માણસ કુર્આન શરીફ પઢે છે, નમાઝના મસાઈલથી વાકિફ છે અને મુત્તકી અને પરહેઝગાર છે, એવા માણસની ઈમામત કોઈ કરાહત વગર જાઈઝ છે, ભલે તે કાયદેસર સનદ યાફતા આલિમ, કારી કે હાફિઝ ન હોય, અને મસ્જિદના બધા નમાઝીઓને ઈમામ સાહેબ ન મવજૂદ હોવાની સુરતમાં તેમની પાછળ મસ્જિદની જમાઅતમાં શામેલ થઈ નમાઝ પઢવી એ સુન્નતે મુઅક્કદહ છે.
આવા ઈમામ પાછળ મસ્જિદની જમાઅત છોડવી અને અલગ નમાઝ પઢવી ચાહે તે એકલી હાલતમાં હોય કે જમાઅત ખાનાથી બહાર કોઈ જગ્યાએ જમાઅતથી હોય એ દુરૂસ્ત નથી અને સુન્નતે મુઅક્કદહ જમાઅતથી વિરૂધ્ધ હોવાથી કરાહત અને ગુનાહથી ખાલી નથી, અને ઈમામ ઈમામતના લાયક હોવા છતાં તેની પાછળ નમાઝ ન પઢવી એ નફસાનિય્યત અને ગુનાહનું કામ છે. (શામી – ૩૭૬ ભાગ –૧)
Log in or Register to save this content for later.