Chapter : હજ
(Page : 241)
સવાલ :– અગર કોઈ માણસ હજે તમત્તુઅ કરે અને હજથી ફારિગ થયા પછી અનેક વાર ઉમરહ અદા કરે તો શું દરેક ઉમરહ પછી માથાનું હલક કરાવવું પડશે. અગર દરેક ઉમરહ પછી હલક કરાવવું હોય તો એ કેવી રીતે કરાવે, કારણ કે હજ પછી અસ્તરાથી હલક કરાવ્યું હોય તો ચાર – પાંચ દિવસોમાં માથામાં હલક પાત્ર વાળ તો થતા નથી.
જવાબ :– એક પછી એક એમ અનેક ઉમરહની અદાયગીમાં દરેક ઉમરહ પછી ઉમરહના એહરામથી હલાલ થવા માટે માથાનું હલક કરાવવું પડશે. જો માથા પર વાળ ન હોય તો માત્ર અસ્તરો પણ ફેરવવો પડશે. (શામી – ર/૧૮૧, ઝુબ્દહ – ૧ /૧૭૪)
Log in or Register to save this content for later.