Chapter : હજ
(Page : 232)
સવાલ :– અમે મૂળ ભારત વાસી છીએ અને હાલમાં જિદ્દહમાં છીએ એટલે અમે મીકાતના અંદર છીએ તો શવ્વાલની પહેલી તારીખથી લઈ હજ સુધીના દિવસો દરમ્યાન અમે લોકો ઉમરહ કરી શકીએ છીએ કે નહિ? અહિઆ મોટા ભાગે લોકો એનાથી મના કરે છે.
જવાબ :– જે વર્ષે તમો મજકૂર મુદ્દતમાં ઉમરહ કરવા ચાહતા હોય તે જ વર્ષે જો તમારો હજ કરવાનો પણ ઈરાદો હોય તો તમારા માટે મજકૂર મુદ્દતમાં ઉમરહ કરવો મકરૂહ છે, માટે આ સૂરતમાં તમારે મજકૂર દિવસોમાં ઉમરહ ન કરવો જોઈએ.
ફકત હજ પઢવી જોઈએ, અને જો તે જ વર્ષે તમારો હજ પઢવાનો ઈરાદો ન હોય અથવા હજ કરવાનો ઈરાદો તો હોય, પરંતુ ઉમરહ કર્યા પછી છુટ્ટીઓ ગુજારવા પોતાના વતન ઈન્ડિયા પાછા ફરીને પછી હજ પઢવાની હોય તો આ બન્ન સૂરતોમાં તમારા માટે મજકૂર મુદ્દતમાં ઉમરહ કરવો કરાહત વગર જાઈઝ છે, ચાહે ઉમરહના એહરામ વખતે તમો મીકાત ઉપર રહેતા હોય કે મીકાતની હદની અંદર રહેતા હોય. (ઝુ. મનાસિક–૧/રપપ, શામી –ર/૧પર)
Log in or Register to save this content for later.