Chapter : હજ
(Page : 226-227)
સવાલ :– મારા વાલિદ સાહેબ પર હજ ફર્ઝ હતી પરંતુ વફાતની ઘડીએ સાથ ન આપ્યો, ખૈર હવે મારો એક ભાઈ ‘બેહરીન’માં છે જેણે પોતાની હજ પઢી નથી તો એવી હાલતમાં વાલિદ સાહેબ મર્હૂમ તરફથી હજ પઢવા જઈ સકે કે નહિ? અને વાલિદ સાહેબનો ફર્ઝ સાકિત થાય કે નહિ?
જવાબ :– હજ્જે બદલ ફર્ઝમાં બેહતર અને અફઝલ તો એ જ છે કે હજ્જે બદલ કરનારે પોતાની ફર્ઝ હજ અદા કરી લીધી હોય જો પોતાની ફર્ઝ હજ અદા ન કરી હોય તો એવી હાલતમાં મર્હૂમ બાપની હજ્જે બદલ ફર્ઝ કરવી એ ભાઈ માટે મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે, કારણ કે જયારે પોતાના પર હજ ફર્ઝ છે તો પ્રથમ સમયમાં પોતાની હજ અદા કરી લેવી જરૂરી છે. નહિ તો મોડું કરવાથી ગુનેહગાર થશે.
હાલ પોતાની હજ્જે ફર્ઝ અદા કરી લે પછી આવતા વર્ષે વાલિદ સાહેબ તરફથી ફર્ઝ હજ્જે બદલ કરશે અને મર્હૂમ બાપે પોતાના તરફથી હજ્જે બદલ કરવા કે કરાવવાની વસિય્યત કરી હશે તો બાપની ફર્ઝ હજ અદા થઈ જશે અને તેમનો ફર્ઝ સાકિત થઈ જશે.
અને જો બાપે વસિય્યત ન કરી હોય છોકરો પોતાની રાજીખુશીથી મર્હૂમ બાપ તરફથી ફર્ઝ હજ્જે બદલ કરશે તો ઈન્શા અલ્લાહ (અગર અલ્લાહ તઆલાને મંજૂર હશે તો) બાપની ફર્ઝ હજ અદા થઈ જશે અને ઝિમ્મેથી સાકિત થઈ જશે. (શામી –ર/ ર૩૯,ર૪૧)
Log in or Register to save this content for later.