Chapter : નિકાહ
(Page : 90)
સવાલ :– ઓરત મુસલમાન ન હતી, મર્દ તેને ઈસ્લામ ધર્મમાં લાવે છે, પરંતુ નિકાહ થતા પહેલાં એ જ મર્દનો હમલ એ ઓરતના પેટમાં હતો, હમલની હાલતમાં જ બન્નેવ રમઝાનુલ મુબારકમાં નિકાહ પઢયા તો શું આ નિકાહ કબૂલ થશે ?
જવાબ :– ઓરતને જે મર્દથી ઝિનાના હમલ રહી ગયા અને ત્યાર પછી તેણે ઈસ્લામ સ્વીકારી લીધો અને તેને ઈમાને મુફસ્સલ પઢાવી અને સમજાવી દેવામાં આવ્યું હતું, જો તે ઓરત અપરણિત હતી તો મુસલમાન થઈ ગયા બાદ હમલ હોવા છતાં પણ મજકૂર મુસલમાન મર્દથી તેના નિકાહ દુરસ્ત અને જાઈઝ ગણાશે, ચાહે તે રમઝાન મહીનામાં થયા હોય અને જો તે પરણિત હોવાથી કોઈ ગેર મુસ્લિમના નિકાહમાં હતી તો હમલની હાલતમાં કરેલાં નિકાહ દુરસ્ત નહીં ગણાય. (શામી:ર/ર૯ર,૩૯૦,૩૯૭)
Log in or Register to save this content for later.