[પ૪] કર્ઝની ઝકાત કર્ઝ આપનાર ઉપર

Chapter : ઝકાત

(Page : 94)

સવાલ :– ઝરૂરતમંદ રિશ્તેદારને ત્થા દોસ્તને ઉછીના આપેલ નાણાંની રકમ ઉપર ઝકાત કોના ઉપર વાજિબ છે ? અને શું નાણાં જયારે મળશે ત્યારે ઝકાત વાજિબ થશે ? અને જયારે એ નાણાં મને પાછા મળે ત્યારે મારે કર્ઝ હોય તો ? ખુલાસો આપશો.

જવાબ :– માલદારે ઉછીના આપેલા નાણાં ઉપર ઝકાત લાગુ પડશે અને તે નાણાંની ઝકાત કર્ઝ આપનાર માલદારે આપવી પડશે. તે નાણાંની ઝકાત કર્ઝ લેનારને લાગુ નહિ પડે, દરેક વર્ષનો હિસાબ અલગ કરવામાં આવશે અને જો પોતાના શિરે કર્ઝ હોય તો તે જમા માલમાંથી બાદ કર્યા પછી જો નિસાબના પ્રમાણમાં ઝકાત પાત્ર માલ બાકી રહે તો તેની ઝકાત આપવી પડશે, ઉછીની રકમની ઝકાત જયારે તે વસૂલ થાય ત્યારે આપવી પડશે તથા પાછલા વર્ષોની પણ આપવી પડશે અને જો વસૂલ થતાં પહેલાં આપી દેશે તો પણ અદા થઈ જશે.                                      (શામી–ર)

Log in or Register to save this content for later.