[પપ] ઝિનાથી ગર્ભવતી સ્ત્રીના નિકાહ અને આ નિકાહમાં ભાગ લેનારનો હુકમ

Chapter : નિકાહ

(Page : 90-91)

સવાલ :– એક કુંવારી કન્યા જેણે ઝિના કર્યો છે અને એ બાબત એના સિવાય સામાપક્ષ વાળા અજાણ છે અને આવી હાલતમાં નિકાહ થયા. નિકાહ પછી બાઈને બચ્ચું થાય છે અને એ પૂરા મહીને થયેલું ડોકટર જણાવે છે, પણ નિકાહ થયાને ફકત પાંચ મહીના થયા છે, તો આવી હમલની હાલતમાં નિકાહ હનફી મસ્લક મુજબ થાય કે પછી તેની ગણના ઝિનામાં થશે ?

                આવી હાલતમાં નિકાહ પઢનાર, પઢાવનાર, શાહિદ, વકીલ ગુનેહગાર ગણાશે કે નહિ ? જો ઉપર મુજબના નિકાહ  સહીહ થતા હોય, પરંતુ આજ બાઈને ફરી પત્ની તરીકે રાખવી હોય તો તે થયેલા પહેલા નિકાહ બર કરાર રહેશે કે ફરીથી નિકાહ પઢવા પડશે ?

જવાબઃ– જે કુંવારી છોકરીને નિકાહ થયા પછી પાંચ મહિને બચ્ચું પેદા થયું તે બચ્ચું નિકાહથી થયેલું અને શોહરથી થયેલું નહીં  ગણાય, બલ્કે ઝિનાથી થયેલુ ગણાશે અને એમ માનવામાં આવશે કે નિકાહ વખતે મજકૂર ઓરતને ઝિનાનો હમલ પેટમાં મોજૂદ હતો, પરંતુ ઝિનાના હમલની હાલતમાં છોકરીના જે નિકાહ થયા તે શરઈ દ્રષ્ટ્રિએ હનફી મસલક મુજબ દુરસ્ત છે, એવા નિકાહ પઢનાર, પઢાવનાર અને શાહિદ વકીલ ગુનેહગાર નહીં ગણાય, અલબત્ત જો પોતાને છોકરીના હમલની જાણ હોવા છતાં છોકરાને જાણ ન કરી અથવા છોકરાને જાણ હોવા છતાં છોકરાએ હમલથી બચ્ચુ પેદા થતાં પહેલાં તે ઓરતથી  પતિ પત્ની તરીકેના સંબંધો કાયમ કર્યા હશે તો ગુનેહગાર થશે, કારણ કે હરામ હમલ વાળી અપરણિત ઓરત સાથે નિકાહ કરવા તો જાઈઝ છે, પરંતુ તે હમલ પેદા થતાં સુધી તેની સાથે પતિએ પતિ – પત્ની તરીકેનો સંબંધ કરવો હરામ અને ના જાઈઝ છે.

                હમલની હાલતમાં થયેલા નિકાહ હમલ પેદા થયા પછી પણ બર કરાર અને બાકી રહેશે, શોહરે ફરીવાર તે ઓરતથી નિકાહ પઢવા જરૂરી નથી.        (શામી : – ર/ર૯૧)

Log in or Register to save this content for later.