Chapter : નિકાહ
(Page : 73-74-75)
સવાલઃ– એક છોકરો અને છોકરી કે જે બન્ને શરીઅત મુજબ બાલિગ છે, તેઓ એક મસ્જિદમાં ઈમામ સાહેબ પાસે ગયા, તે વખતે ઈમામ સાહેબ છોકરો અને છોકરી એમ ત્રણ જણ હાજર હતા, ઈમામ સાહેબે છોકરીને તારી મરજી છે કે કેમ તેવું પૂછેલ, છોકરીએ હા, મારી મરજી છે, તેમ કહેલ. ત્યાર પછી છોકરીને ત્યાંથી રવાના કરેલ હતી.
ત્યાર બાદ બે દિવસ પછી ઈમામ સાહેબે બે ગવાહોની હાજરીમાં ફકત છોકરાને મસ્જિદમાં શરીઅત પ્રમાણે નિકાહ પઢાવ્યા હતા, ત્યાર બાદ બે થી ત્રણ દિવસ પછી છોકરાએ છોકરીને ફોન ઉપર આપણા નિકાહ થઈ ગયેલ છે, તેવું જણાવેલું હતું.
ત્યાર બાદ થોડા દિવસ પછી છોકરીએ પોતાના ઘરે ઉપરોકત છોકરા જોડે મેં નિકાહ પઢેલ છે, તેની મમ્મી પપ્પા અને ભાઈને કહયું.
નોંધ :– (૧) છોકરો શેખ તથા છોકરી ઘાંચી એમ બન્ને અલગ અલગ બિરાદરીના છે અને બન્ને સારા ઘરના છે.
(ર) નિકાહ વખતે બે ગવાહોના નામ રજિસ્ટરમાં બદલીને લખેલ છે.
(૩) મહેરની રકમ છોકરાએ મસ્જિદમાં નિકાહ થયા પછી છોકરીને જણાવેલ હતી જેમાં છોકરીને કઈ વાંધો ન હતો.
ઉપરોકત નિકાહ શરીઅતની દ્રષ્ટિએ મુકમ્મલ (COMPLETE) થાય છે કે નહિ? તે જણાવ્વા આપ મુફતી સાહેબને નમ્ર અરજ છે.
જવાબઃ– જે બાલિગ છોકરીની સંમતિ લઈને બે દિવસ પછી ઈમામ સાહેબે બે ગવાહોની રૂબરૂ નિકાહ પઢાવ્યા છે, તે નિકાહ સહીહ અને જાઈઝ થયા છે, છોકરો અને છોકરી અલગ બિરાદરીના હોવાથી અથવા ગવાહોના નામ રજિસ્ટરમાં બદલીને લખવાથી કે મહેરની રકમ નિકાહ પછી નકકી થવાથી નિકાહના જાઈઝ હોવા ઉપર કોઈ અસર નહિ પડે, નિકાહ જાઈઝ ગણાશે. (શામી ભા. ર)
Log in or Register to save this content for later.