Chapter : નિકાહ
(Page : 73)
સવાલઃ– એક ભાઈ સાઉથ આફ્રીકા રહે છે, તેમના નિકાહ શરીઅત પ્રમાણે થયા હતા, છોકરી અહીંયા રહે છે, આફ્રીકાની કોશિષ કરવા છતાં છોકરીનું જવાનું થયું નથી, નિકાહ થયાને છ મહીનાથી વધુ સમય થઈ ગયો છે, તો શું રૂખ્સતી ન થવાથી એ નિકાહ તૂટી જશે? આ બાબત જવાબ આપવા મહેરબાની ફરમાવશો.
જવાબઃ– શરીઅત મુજબ નિકાહ થઈ ગયા પછી ચાહે ગમે તેટલી લાંબી મુદ્દત ઓરતને તેના શવહરના ઘરે રૂખ્સત કરવામાં ન આવે, તેનાથી તે ઓરત – શવહરના નિકાહ તૂટતા નથી, ચાહે શવહર છોકરીના દેશમાં ન હોય, બલ્કે બીજા દેશમાં નોકરી ધંધા અર્થે રહેતો હોય તેનાથી નિકાહ ઉપર કોઈ અસર પડતો નથી અને ઓરત શવહરના નિકાહમાં બાકી રહે છે. (શામી– ભા.ર)
Log in or Register to save this content for later.