[૪ર] ફકત બે ગવાહો સામે ઈજાબ–કબૂલ કરવું

Chapter : નિકાહ

(Page : 75)

સવાલઃ– એક માણસ સરકારી ઉંચા હોદ્દા પર છે, તેને એક હિન્દુ છોકરી સાથે પરિચય થઈ ગયો છે તે હિન્દુ છોકરી મુસલમાન બનીને આ માણસ સાથે શાદી કરવા પણ તૈયાર છે પણ તે માણસ શાદીશુદા છે, તેના પણ બાળકો છે અને તે સમાજના પ્રતિભાશાળી છે, જેના લઈ તે તેની સાથે જાહેરમાં નિકાહ કરવાની ના પાડે છે. આ માણસ જો તેને તેના ગામથી દૂર બીજા શહેરમાં મકાન રાખી આપે અને જે શહેરમાં મકાન રાખે ત્યાં ફકત બે માણસો (જે શરીઅત મુજબ હોય)ની સામે ઈજાબો કબૂલ કરી નિકાહ પઢી લે અને તેના ઘરવાળા કે ગામવાળાને ખબર ન પડવા દે, ફકત તે માણસ અને આ છોકરી (જે બાલિગ છે ર૪ વર્ષની ઉમર છે) તેમજ બે ગવાહ અને નિકાહ પઢાવનાર મોલ્વી સાહેબ પાંચ જણ જ જાણે છે તો શું આ નિકાહ શરઈ નિકાહ કેહવાશે અને બંને પતિ પત્ની તરીકે રહે તો જાઈઝ છે ?

જવાબઃ– પૂછેલી સૂરતમાં મસ્‍અલાની દ્રષ્ટ્રિએ નિકાહ જાઈઝ અને દુરસ્ત તો થઈ જશે અને તે ઓરતના મુસલમાન થયા પછી નિકાહ પઢવાથી તે કાયદેસરની પત્ની પણ ગણાશે, પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે હદીસ શરીફમાં નિકાહને ખૂબ જાહેર કરવાનો અને મસ્જિદ જેવી જાહેર જગ્યાએ પઢવાનો હુકમ છે.(શામી – ર)

Log in or Register to save this content for later.