[૩૮] ઓરતે પોતાની નાબાલિગ છોકરીઓને લઈને માના ઘરે જતુ રહેવું અને અલગ રહેવાની માંગણી કરવી

Chapter : નિકાહ

(Page : 68-69)

સવાલ :– મારી ઓરતને અને દિકરીઓને દરેક રીતે સુખી રાખવા હું ભરપૂર કોશિશ કરતો હતો, પરંતુ મારી ઓરતને તેના માતાજીએ ચડવણી કરી મારો ત્યાગ કરી વસ્તુઓ તથા બે દિકરીઓ લઈ માતૃગૃહે ચાલી ગઈ છે અને તે જુદી રહેવાની ઈચ્છા જાહેર કરે છે. આવા સંજોગોમાં બન્‍નેવ દિકરીઓ સગીર વયની નવથી પાંચ વરસની ઉમરની પોતાની સાથે રાખી શકે? તે પોતે શહેરની ગંદી વસ્તીમાં રહે છે. દિકરીઓના શિક્ષણની કોઈ યોગ્ય વ્યવસ્થા કરી શકે તેમ નથી. તેમજ આરોગ્ય પદ આહાર પણ આપી શકે તેમ નથી, આવી પરિસ્થિતિમાં શરીઅત શું ફરમાવે છે?

જવાબઃ– જો તમારી ઓરતને તલાક આપી છુટી નથી કરી અને તમારા પોતાના માં–બાપ, ભાઈ બહેનો સાથે રહેવાના કારણે તમારી પત્ની અલગ મકાનમાં રહેવાની ઈચ્છા કરતી હોય તો તમારા શિરે તેને રહેવા માટે જુદુ મકાન આપવું જરૂરી છે, હા જો વધારે રૂમ વાળું મોટું મકાન હોય તો એવો અલગ રૂમ આપી દેવો પણ પુરતો છે જેનો દરવાજો બંધ કરી દેવામાં આવે તો બીજાઓની અવર જવર વગર તેમાં રહી શકાતુ હોય, જો તમોએ તલાક નથી આપી તો ઓરત આ પ્રમાણે પતિનો ત્યાગ ન કરી શકે કે એના તરફથી ત્યાગ ગુનાહનું કામ છે, ઓરત માટે શોહર જયાં ઈચ્છે ત્યાં રહેવું જરૂરી છે. હા, જો તમોએ તલાક આપી દીધી હોય અને ઈદ્દત પણ પૂરી થઈ ગઈ હોય તો છોકરીઓને બાલિગ થતા સુધી તમારા જ ગામમાં બીજા મહોલ્લામાં લઈ જઈ પોતાની પરવરિશમાં રાખી શકે છે. એવી જ રીતે ઓરત પોતાના વતનમાં જયાં તમારી શાદી થઈ હતી લઈ જઈ શકે છે. ચાહે દૂર હોય, એવી જ રીતે તેનું વતન ન હોય પણ તમારા ગામથી દૂર પણ ન  હોય ત્યાં પણ લઈ જઈ શકે છે. અને તે છોકરીઓનો ભરણ પોષણનો ખર્ચ તમારે આપવો જરૂરી છે. હાં, જો તે છતાં છોકરીઓની બરાબર દેખભાળ ન રાખે અને છોકરીઓના બરબાદ થવાનો ભય હોય તો તમો પોતાની પાસે રાખી શકો છો અને ઓરત પોતાની સાથે લઈ જવા પર મજબૂર નથી કરી શકતી.           (શામી : ર/૬૬૩ ,૬૪ર,૬૩૭)

Log in or Register to save this content for later.