[૩૬] શીઅહ સુન્નીમ થાય તો ફરીથી નિકાહ પઢવાની સૂરતો

Chapter : નિકાહ

(Page : 66-67)

સવાલઃ– માહે સપ્ટેમ્બર ૧૯૮૭ના ‘દારૂલ ઉલૂમ’ માસિક ફતાવા વિભાગમાં સવાલ નંબર–ર પર સંતોષ ન થવાથી આપ ખુલાસાવાર જવાબ આપી આમારું ધ્યાન દોરશો.

                સવાલ નં.(ર)માં આ પ્રમાણે એક વાકય લખેલ છે, ”પરિણિત હોય તો પોતાના નિકાહ પણ ફરીવાર પઢે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પહેલાથી ઉમરના નિકાહમાં જે ઓરત હતી તેણી સાથે નિકાહ ફરીવાર પઢે કે અન્ય કોઈ ઓરત સાથે, જો અન્ય ઓરત સાથે નિકાહ પઢવાના હોય અથવા પહેલી ઓરતથી નિકાહ કરવાના હોય અને તેણીએ ઈસ્લામ સ્વીકાર્યુ નથી તો પણ પહેલા વાકયને લખવાની જરૂરત સમજમાં આવતી નથી, કારણ કે આજ સવાલની આખરમાં દર્શાવેલ છે કે ”શીઅહ પંથના અમુક અકાઈદ એવા ગુમરાહી ભર્યા છે કે તેવા અકાઈદ માનનારો માણસ મુસલમાન રહી શકતો નથી” આથી ”બન્‍ને પતિ – પત્ની કાફિર હોય અને એક સાથે મુસલમાન થઈ જાય તો તે જ નિકાહ પર તેઓને બાકી રાખવામાં આવશે, બીજી વખત નિકાહની જરૂરત નથી” એવું અમુક લોકોનું કહેવું છે, તેથી આ બાબતે પૂરી હકીકત જણાવશો.

જવાબ :– ઘણી ઘટનાઓ એવી પણ બને છે કે સુન્‍ની ઓરતના નિકાહ શીઅહ પુરુષ સાથે થઈ જાય છે અને આ સૂરતમાં જો શીઅહ પુરુષ શીઅહ પંથના ગલત અકાઈદથી તવબહ કરી કલિમએ શહાદત પઢી અહલે સુન્‍નત વલ જમાઅતમાં શામિલ થાય, તો તેણે તે જ ઓરતને પોતાની પત્ની તરીકે બાકી રાખવા તેની સાથે ફરીથી નિકાહ પઢવા જરૂરી છે, કારણ કે પહેલા નિકાહ દુરસ્ત ન હતા. એવી જ રીતે જો પતિ–પત્ની બન્‍ને શીઅહ હતા અને બન્‍ને તવબહ કરીને સુન્‍ની થઈ ગયા, પરંતુ પુરુષે પહેલા તવબહ કરી અને ઓરતે પુરુષના તવબહ કર્યા પછી પોતાને ત્રણ હૈઝ આવ્યા પછી તવબહ કરી તો પણ બન્‍નેવે ફરીથી નિકાહ પઢવા જરૂરી છે. જો ઓરત પણ શીઅહ હતી અને તેણે  તવબહ કરી નથી તો હવે તે મજકૂર પતિની પત્ની બાકી નહીં રહે, તેણે પત્ની માટે ફરીવાર નિકાહ અન્ય કોઈ સુન્‍ની ઓરતથી પઢવા પડશે.

                આપે જે સૂરતો લખી છે કે શીઅહ ઓરતે ઈસ્લામ સ્વીકાર ન કર્યો અથવા શીઅહ પતિ – પત્ની બંને એક સાથે સહીહ મુસલમાન થઈ ગયા અને તે સૂરતોના જે હુકમ નકલ કર્યા છે કે પહેલી સૂરતમાં તે જ ઓરતથી ફરીવાર નિકાહ પણ દુરસ્ત નથી અને બીજી સૂરતમાં ફરીવાર નિકાહ કરવાની જરૂરત નથી, બલ્કે પહેલા થયેલા નિકાહ બાકી રહેશે.  મસ્‍અલાની દ્રષ્ટિએ એ હુકમ દુરસ્ત અને બરાબર છે.

Log in or Register to save this content for later.